SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉપર અસર ન જ કરે એવો કોઈ નિયમ નથી જીવવિપાકી શરીર ઉપર પણ અસર કરી શકે છે. જેમ ક્રોધ એ જીવવિપાકી પ્રકૃતિ છે છતાં ક્રોધના ઉદયે શરીરનું તાપી જવું, લાલચોળ આંખો થવી, ભૃકુટી ચઢવી, દાંત કચરવા વગેરે અસર શરીર ઉપર પણ થાય છે. તેમ બાદર નામકર્મ જીવવિપાકી હોવા છતાં શરીર ઉપર અસર કરે છે. તેથી બાદર જીવોના એક અથવા અસંખ્ય શરીરનો પિંડ આંખથી દેખી શકાય છે. પણ સૂક્ષ્મ જીવોના અસંખ્ય શરીરનો પિંડચક્ષુગ્રાહ્ય થતો નથી. પ્રશ્ન - ૧૦૫ “શરીર પર્યાપ્તિથી જ શરીર તૈયાર થાય છે તો શરીર નામકર્મને માનવાની શી જરૂર?” જવાબઃ- શરીર નામકર્મનું કાર્ય માત્ર ઔદારિકાદિ શરીરને યોગ્ય પુગલો ગ્રહણ કરવાનું છે અને શરીર પર્યાપ્તિનું કાર્ય તો શરીર યોગ્ય પુદ્ગલોને શરીર રૂપે પરિણાવવાનું છે. એટલે કાર્યના ભેદથી બન્ને અલગ હોવાથી બન્નેને માનવા જોઈએ. જો શરીર નામકર્મને માનવામાં ન આવે તો શરીર યોગ્ય પુદ્ગલોનું ગ્રહણ ન થાય એટલે શરીર બાંધવાના મૂળભૂત તત્ત્વો જ ન મળે તો શરીર પર્યાપ્તિ દ્વારા શરીર કેવી રીતે તૈયાર થાય?માટે શરીર નામકર્મને અવશ્ય માનવુ જોઈએ. વળી, શરીર પર્યાપ્તિને માનવામાં ન આવે તો શરીર નામકર્મોદયથી ગ્રહણ કરેલ શરીર યોગ્ય પુદ્ગલોનો ઢગલો એમ ને એમ પડયો રહે. પણ શરીર પર્યાપ્તિ વિના શરીર ન બને માટે શરીરપર્યાપ્તિનામકર્મને અવશ્ય માનવુ જોઇએ. પ્રશ્ન- ૧૦૬ “શ્વાસોચ્છવાસ નામકર્મના ઉદયથી શ્વાસોચ્છવાસની શક્તિ પ્રાપ્ત થાય છે તો શ્વાસોચ્છવાસ પર્યાપ્તિને માનવાની શી જરૂર છે?” જવાબ:- શ્વાસોચ્છવાસ નામકર્મના ઉદયથી જીવ શ્વાસોચ્છવાસ યોગ્ય પુદ્ગલોનું ગ્રહણ કરે છે પણ શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ વિના તેના પરિણામોદિ વ્યાપાર થઈ શકતો નથી માટે શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ માનવી જોઇએ. પ્રશ્ન-૧૦૭“પ્રિય વ્યક્તિનાપગાદિ કોઇપણ અવયવોનો સ્પર્શ સારો લાગતો હોવાથી ત્યાં શુભ નામકર્મ ઘટી શકે ને?” જવાબ- સ્ત્રી વગેરે રાગી માણસોના પગાદિનો સ્પર્શ મોહની ઘેલછાને કારણે સારો લાગે છે. પણ પગાદિ અવયવોમાં શુભપણુ ઉત્પન્ન થતું નથી માટે ત્યાં શુભનામકર્મ ન ઘટે. પ્રશ્નઃ- ૧૦૮ “આગમમાં આમ્ર, નિંબ વગેરે વૃક્ષોનાં મૂલ, શાખાદિ દરેક ૨૭૩ ૧૮ For Private and Personal Use Only
SR No.020577
Book TitlePratham Karmagranth Karmavipak
Original Sutra AuthorN/A
AuthorHarshagunashreeji
PublisherOmkar Sahitya Nidhi
Publication Year1995
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy