________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(... કર્મનું સ્વરૂપ .) કાજળની ડબ્બીમાં જેમ કાજળનાં કણીયાં ઠાંસી ઠાંસીને ભરેલાં હોય છે. તેમ ૧૪ રાજલોકરૂપ વિશ્વમાં કામણવર્ગણાના પુગલો ઠાંસી ઠીંસીને ભરેલા છે. જેથી જીવ જે જગ્યાએ રહેલો હોય તે જગ્યાએથી જ શારીરિકાદિ પ્રવૃત્તિરૂપ યોગ દ્વારા કાર્મણસ્કંધોને પ્રતિસમયે ગ્રહણ કરે છે. તે વખતે જીવના રાગાદિ વિકૃત સ્વભાવને કારણે કાર્મણસ્કંધોમાં જ્ઞાનાદિ ગુણને ઢાંકવાની તેમજ સુખદુઃખાદિને આપવાની શક્તિ ઉત્પન્ન થવાથી કાર્યણસ્કંધો કર્મ” રૂપે બને છે.
જેમ દીવો, શકોરામાંથી પોતાને સ્પર્શી રહેલાં તેલાદિને વાટ દ્વારા ખેંચીને ઉષ્ણતાનાં સંસર્ગથી જ્યોતિ=પ્રકાશરૂપે પરિણમાવે છે. તેમ જીવ લોકમાંથી પોતાને સ્પર્શીને રહેલાં કાર્માસ્કંધોને યોગદ્વારા
ગ્રહણ કરીને રાગાદિ યુક્ત ચૈતન્યનાં સંસર્ગથી કામણ સ્કંધોને “કર્મ"રૂપે પરિણાવે છે. અહીં ઉષ્ણતાનાં સંસર્ગથી જેમ તેલાદિ દ્રવ્યો સ્વયં જ જ્યોતિ=પ્રકાશરૂપે બની જાય છે. તેમ રાગાદિ યુક્ત ચૈતન્યનાં સંસર્ગથી કાર્માસ્કંધો સ્વયં જ “કર્મ” રૂપે બની જાય છે.
યદ્યપિ લોકમાં રહેલાં અત્યંત સૂક્ષ્મજ સ્વરૂપ કાર્મણસ્કંધો જડ છે. જ્યાં સુધી જીવ કાર્મણસ્કંધોને ગ્રહણ કરતો નથી ત્યાં સુધી તો તેમાં જ્ઞાનાદિ ગુણને ઢાંકવાની કે સુખદુઃખાદિને આપવાની શક્તિ ઉત્પન્ન ન થતી હોવાથી કાર્મણસ્કંધો કર્મસંશક બનતા નથી. પરંતુ જીવે ગ્રહણ કરેલાં કાર્યણ સ્કંધો રાગાદિને લીધે કર્મસંશક બને છે.
જેમ વિષ=ઝેર જડ છે. તે જડ પદાર્થને ભલે કાંઈ જ ઘાતક અસર કરતું નથી પરંતુ રાગ-દ્વેષ યુક્ત ચૈતન્યનાં સંસર્ગથી જડ એવા વિષમાં પણ જીવને મૃત્યુદંડની સજા કરવાની શક્તિ ઉત્પન્ન થાય છે. તેમ કામણજીંધો જડ છે. તે જડ પદાર્થોને કાંઈ જ અસર કરતાં નથી. પરંતુ રાગ-દ્વેષયુક્ત ચૈતન્યનાં સંસર્ગથી કાર્પણકંધોમાં જ્ઞાનાદિગુણને ઢાંકવાની તેમજ સુખદુઃખાદિને આપવાની શક્તિ ઉત્પન્ન થતી હોવાથી જીવનાં સંસર્ગથી કાર્મણસ્કંધો “કર્મ” સંજ્ઞક બને
For Private and Personal Use Only