________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રિય લાગતો હોય તો તે ભાગ્યશાળી કહેવાય. તેનું કારણ સૌભાગ્ય સુભગ] નામકર્મ છે. એટલે, “જે કર્મના ઉદયથી ઉપકાર નહીં કરવા છતાં પણ જે સર્વને પ્રિય લાગે તે સુભગનામકર્મ કહેવાય.” )
જે જીવ સર્વ લોકોને ઉપકાર કરનારો હોય, માથાના વાળથી પગ લૂછે તો પણ તે પ્રિય ન લાગતો હોય તો, તે દુર્ભાગી કહેવાય. તેનું કારણ દૌર્ભાગ્યનામકર્મ છે. એટલે, “જે કર્મના ઉદયથી પોતે ઉપકારી હોવા છતાં સામાને અપ્રિય લાગે તે દુર્ભગનામકર્મ કહેવાય.”
જો આ કર્મ ન હોય તો, અમુક વ્યકિત સર્વને પ્રિય લાગે છે અને અમુક વ્યકિત સર્વને અપ્રિય લાગે છે. એવુ ન બને. દા.ત. હંસ, ઘોડો, ગાય, હરણ વગેરે સર્વને પ્રિય લાગે છે. અને કાગડો, ગધેડો, ભેંસ, ભૂંડ વગેરે સર્વને અપ્રિય લાગે છે. તેનું કારણ હંસાદિને સૌભાગ્યનામકર્મનો ઉદય છે. અને કાગડાદિને દર્ભાગ્યનામકર્મનો ઉદય છે.
અભવ્યજીવોને તીર્થકર ભગવંતો પ્રિય લાગતા નથી માટે તીર્થકર ભગવંતોને દર્ભાગ્યનામકર્મનો ઉદય છે. એમ ન સમજવું કારણકે અભવ્યો ગાઢ મિથ્યાત્વી હોવાથી તેને સુદેવાદિ પ્રિય લાગતા નથી. સુસ્વર, આદય, યશકીર્તિ અને સ્થાવરદશકનું સ્વરૂપ :
सुसरामहुर सुहझुणी आइज्जा सव्वलोअगिज्झवओ । जसओ जसकित्तीओ, थावरदसगं विवजत्थं ॥५०॥ सुस्वराद् मधुरसुखध्वनिरादेयात्सर्वलोक ग्राहय वचाः । यशसो यशः कीर्तयः स्थावरदशकं विपर्ययार्थम् ॥५०॥
ગાથાર્થ :- સુસ્વરનામકર્મના ઉદયથી મધુર અને સુખકારક સ્વર પ્રાપ્ત થાય છે. આદેયનામકર્મના ઉદયથી સર્વલોકને તેનું વચન માન્ય હોય છે. યશનામકર્મના ઉદયથી યશ અને કીર્તિ પ્રાપ્ત થાય છે. તેથી વિપરીત અર્થવાળુ સ્થાવરદશક જાણવું. વિવેચન :- (૮) સુસ્વર-દુસ્વર નામકર્મનું સ્વરૂપ
જીવ કાયયોગ દ્વારા ભાષાવર્ગણાના પુદ્ગલો ગ્રહણ કરીને, તેને જે શબ્દ બોલવાનો હોય તે રૂપે પરિણાવીને તેનું જ અવલંબન લઈને, “પરિણત ભાષાવર્ગણાના જે પુલો બહાર ફેકે છે - તે જ શબ્દ કહેવાય છે.”
* ૨૧૨
For Private and Personal Use Only