________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુવર્ણની બેડી સરખું મનુષ્યાયુષ્ય અને દેવાયુષ્ય છે.” “રિમાન્ડ ઉપર લીધેલા કેદી સરખું નરકાયુષ્ય છે.”
છે. સંસારી જીવનું આશ્રયસ્થાન શરીર છે. પણ શરીરનું આશ્રયસ્થાન લોક છે. (તેમાં કુદરતી જ ન્યૂનાધિક પ્રમાણમાં સુખદુઃખનો ભોગવટો કરી શકાય એવા ચાર આશ્રયસ્થાનો છે. તેથી જીવસ્વકર્માનુસારે. સુખદુઃખનો ભોગવટો કરવા તે તે આશ્રયસ્થાનમાં દેવાદિ અવસ્થાને પ્રાપ્ત કરે છે. તેને શાસ્ત્રીય પરિભાષામાં દેવગતિ, મનુષ્યગતિ, તિર્યંચગતિ અને નરકગતિ કહેવાય છે. દેવાદિ ૪ ગતિને આશ્રયીને આયુષ્યકર્મ પણ ચાર પ્રકારે કહ્યું છે. કારણકે ગતિનામકર્મ જીવને સુખદુઃખના ઉપભોગને યોગ્ય દેવાદિ અવસ્થાની પ્રાપ્તિ કરાવી આપે છે. અને આયુષ્યકર્મ જીવને તે તે અવસ્થામાં મર્યાદિતકાળ પર્યન્ત કેદ કરી દે છે. માટે તે બન્ને સહચારી હોવાથી ગતિનામકર્મની જેમ આયુષ્યકર્મ ૪ પ્રકારે કહ્યું છે.
(૧) લોકના ઉર્ધ્વ ભાગમાં દિવલોકમાં] કુદરતી જ અત્યંત સુખ સાધનોથી ભરપુર રત્નોના વિમાનોરૂ૫ આવાસોની વ્યવસ્થા છે. તેમાં ઉત્પન્ન થનાર પ્રાણીવર્ગનું શરીર અત્યંત સુશોભિત હોવાથી તેને સુર=દેવ કહેવાય છે. એ દેવના શરીરમાં જીવને જેટલો સમય રહેવું પડે તેને દેવાયુષ્ય કહેવાય છે” તેનું કારણ દેવાયુષ્યકર્મ છે
અક્ષયસ્થિતિગુણને ઢાંકનાર તીવ્રતમશુભરસ યુક્ત કાર્મણસ્કંધોને દેવાયુષ્યકર્મ કહેવાય.”
(૨)(લોકમાં ૧ રાજલોક પ્રમાણ મધ્યભાગમાંથી માત્ર અઢીદ્વીપત્ર ૪પ લાખ યોજનક્ષેત્રમાં સુખદુઃખનાં સાધનોથી ભરપુર નગર, શહેરો, ગામડાઓ, રાજય વ્યવસ્થા, ધર્મવ્યવસ્થા વગેરે કુદરતી રીતે જ ગોઠવાયેલી છે. તેમાં ઉત્પન્ન થનાર પ્રાણીવર્ગ કુટુમ્બ બાંધીને રહેવું, રાંધીને ખાવું વગેરે જીવનવ્યવહારિક તમામ બાબતોમાં વિવેકયુક્ત નિર્ણય કરનારો હોવાથી તે નર = મનુષ્ય કહેવાય છે. “મનુષ્યના શરીરમાં જીવને જેટલો સમય રહેવું પડે તે મનુષ્યાયુષ્ય કહેવાય.” તેનું કારણ મનુષ્પાયુષ્યકર્મ છે.”
અક્ષયસ્થિતિગુણને ઢાંકનાર તીવશુભરસયુક્ત કાર્મણસ્કંધોને મનુષ્યાયુષ્યકર્મ કહેવાય છે.”
(૩) લોકમાં એક રાજલોક પ્રમાણ મધ્યભાગમાં અસંખ્યાત દ્વીપ સમુદ્રો
૧૪૯
For Private and Personal Use Only