________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રકાશકીય
ભાષાના એક મહત્ત્વના અંગ તરીકે આવશ્યક ધાતુ-શબ્દકોશનો ઉપયોગ
હરકોઈ માટે અનિવાર્ય બની રહે છે.
કોશના સમ્યગ્ ઉપયોગથી ભાષા ચેતનવંતી બને, એમાં વૈવિધ્ય આવે અને એના સૌંદર્યમાં અનેરો નિખાર પણ આવે.
પ્રાકૃત ભાષા પૂર્વકાળમાં તો જનસમુદાયની ભાષા હતી. પણ કાળના પ્રવાહમાં આજે એ એ રીતે રહી નથી, છતાં આગમ ગ્રંથો-ધર્મગ્રંથો તેમજ અઢળક લોકસાહિત્ય આજે પણ પ્રાકૃતમાં જ સુપ્રાપ્ય છે. એના વિશિષ્ટ જ્ઞાન માટે એ ભાષાનો અભ્યાસ અનિવાર્ય છે.
જ્ઞાન પ્રાપ્તિના મહત્ત્વપૂર્ણ સાધન તરીકે આવશ્યક મનાતા આવા જ એક પ્રાકૃત શબ્દકોશનું સંપાદન પૂ. મુ. શ્રી પુણ્યકીર્તિવિજયજી મહારાજે કર્યું છે. Handy and Prescise કહી શકાય તે સાઈઝમાં એનું સુઘડ મુદ્રણ થતું હોઈ સર્વ અભ્યાસીઓને મિત્રની ગરજ જરૂ૨ સારશે એવો વિશ્વાસ છે.
આ ધાતુ શબ્દકોશનો ઉપયોગ કરી પ્રાકૃત ગ્રંથોનો ૫રમાર્થ પામી સહુ કોઈ આત્મશ્રેય સાધે એ જ શુભાભિલાષા.
For Private and Personal Use Only
પ્રકાશક