________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તુત ધાતુકોશ અને શબ્દકોશ માટે વિશાળ પાઈએ સદ્ મહણવો” ગ્રંથની રચના થયેલ છે. તે વિશાળકાય ગ્રંથમાંથી વધુ ઉપયોગી ધાતુ અને શબ્દોનો કોઈક વિદ્વાન પુરુષે સંગ્રહ કરેલ હતો. આજથી ૪-૫ વર્ષ પૂર્વે પાટણમાં રહેતા કોઈક ગૃહસ્થના ઘરમાંથી ફૂલસ્કેપ પેપરમાં તૈયાર કરેલો સંગ્રહ મળ્યો. એ જોઈ મને ભાવના થઈ કે તૈયાર કરેલ સંગ્રહ જો પ્રકાશિત થાય તો પ્રાકૃત વાચકોને ઉપયોગી બનશે. વિશાળકાય ગ્રંથમાંથી નાનું પુસ્તક પ્રકાશિત થાય તો સુગમ પડે તે હેતુથી આ પુસ્તકને પ્રકાશિત કરવાનું થયું છે.
વાચકો આ ગ્રંથના સદુપયોગથી લુપ્તપ્રાયઃ થતા પ્રાકૃત વાંચનને સરળ બનાવી જ્ઞાનની ઉપાસના દ્વારા દર્શન-ચારિત્રની શુદ્ધિ કરી અંતે મુક્તિને નજીક બનાવે એ જ સદાની શુભાભિલાષા.
– મુનિ પુણ્યકીર્તિવિજય વિ.સં. ૨૦૫૪, આસો સુ. ૯, સેટેલાઈટ, અમદાવાદ-૧૫.
For Private and Personal Use Only