________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૮ ચકકસરી સાનિધ્ય કરી, વેશ્યા ઉતાર્યો નાદ રે. ૮ વેશ્યાથી મુકાવીને, શેઠ તેડી ઘરે આવે રે મનમાં અતિ હર્ષિત થા, પુત્રી કહીને બોલાવે રે. તે ૯ કુમરી રૂપે અડી, શેઠ તણું મન મોહે રે; અભિનવ જાણે સરસ્વતી, કલા ચોસડ સેહે રે. તે ૧૦ કામ કાજ ઘરનાં કરે, બોલે અમૃત વાણી રે, ચંદનબાલા તેહનું નામ દીધું ગુણ જાણે છે. તે ૧૧ ચંદનબાલા એક દિને શેઠ તણે પગ ધોવે રે, વેણું ઉપાડી શેઠજી, મૂલા બેઠી જેવે રે. તે તે દેખીને ચિંતવે, મૂલા મન સંદેહ રે; શેઠજી રૂપે મહિયા, કરશે ગૃહિણું એહ રે. તે ૧૩ મનમાં ઇંધ કરી ઘણે, નાવીને તેડાવી રે, મસ્તક ભદ્ર કરાવીયું, પગમાં બેડી જડાવી છે. તે ૧૪ ઓરડામાંહિ ઘાલીને, તાલું દઈને જાવે રે, મૂલા મન હર્ષિત થઈ, બીજે દિન શેઠ આરે, તે ૧૫ શેઠ પૂછે કુમારી કિહાં, ઘરણીને તિણ કાલે રે તે કહે હું જાણું નહી,એમ તે ઉત્તર આલે રે. તે ૧૬ એમ કરતાં દિન ગણ થયા, તાહિ ન જાણે વાત રે; પાડોશણ એક ડાકરી, સોલી કહી તેણે વાત રે. તે ૧૭ કાઢી બાર ઉઘાડીને, ઉંબરા વચ્ચે બેસારી રે; આપ્યા અડદના બાકુલા, સૂપડામાંહે તિણ વારી રે. તે ૧૮
For Private and Personal Use Only