________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કપડાં ઘરેણાં ઉતારશે, બાંધી ઠાઠડી માંય રે. ખોખલી હાંડલી આગળ, રોતા રોતા સહુ જાય રે. મરણ ૫ કાયા માયા સહુ કારમી, કારમો સહુ ઘરબાર રે; રંકને રાય છે કારમો,કારણે સકળ સંસાર રે. મરણ૦ ૬ ભીડી મુઠી લઈ અવતર્યો, મરતાં ખાલી છે હાથ રે, જીવડા જોને તું જગતમાં, કેઈ ન આવે છે સાથરે. મરણ ૭ નાના મોટા સહુ સંચર્યા, કોઈ નહિ સ્થિર વાસ રે, નામ રૂપ સહુ નવિ કરે, ધર્મરત્ન અવિનાશ રે. મરણ ૮
૧૦ ઉપદેશક સક્ઝાય. આ ભવ રત્નચિંતામણું સરીખો, વારવાર ન મળશેજી; ચેતી શકે તો ચેતજે જીવડા,આવો સમયનહિ મળશે. આ જ ચાર ગતિ ચોરાસી લાખ યોનિ, તેહમાં તું જમી આવ્યા પુન્યસંગે સ્વપ્નની સંગતે, માનવને ભવ પામ્યા છે. આ૦ ૨ વહેલો થા તું વહેલો જીવડા, લે જિનવરનું નામજી; કુગુરૂ, કદેવ, કુધર્મને છડી, કીજે આતમ કામજી, આ ૩ જેમ કઠીયારાએ ચિંતામણું લીધે, પુણ્ય તણે સંગજી કાંકરાનીપરે નાખી દીધે, ફરી નહિ મળવા ગઇ. આ૦ ૪ એક કાલે તું આ જીવડા, એક કાલ તું જાશેજી; તેહની વચ્ચે તું બેઠા જીવડા, કાલ આહેડી નિકાસે. આ૦ ૫ ધન્ય સાધુ જે સંયમ પાલે, સુધે મારગ દાખે; સાચું નાણું ગાંઠે બાંધે, ખોટી દષ્ટિ ન રાખે છે. આ૦ ૬
For Private and Personal Use Only