SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વોડMાયાતો ન વેતિક વસિષ્ઠ પણ આવ્યા કે નહી. અહીંયા જોકે વસિષ્ઠ પણ બ્રાહ્મણ જ છે, તો પણ વિશેષ હોવાથી બીજીવાર પૂછવામાં આવ્યું છે. તે જ પ્રમાણે આ મોક્ષ-શાસ્ત્રમાં મોક્ષ ઈશ્વરના અનુગ્રહ વિના કદાપિ સંભવ નથી. માટે ઈશ્વરના ચિંતનનું વારંવાર કથન પણ પુનરુક્તિદોપયુક્ત નથી કહી શકાતું અને દષ્ટ-વિષયોથી વિરક્ત થવા માટે વેરાગ્ય માનવાવાળું શાસ્ત્ર દષ્ટ-વિષયોમાં આસક્ત થવાનો ઉપદેશ કેવી રીતે કરી શકે? માટે તેનો અર્થ ઈશ્વર-પરક કરવો એ જ ઠીક છે. ૩રા નોંધ-(૧) ગોમય-પાયસીય ન્યાયનો અભિપ્રાય એ છે કે ગોમય=ગોબર (છાણ) અને પાયસ= ખીર બંનેય ગાયથી ઉત્પન્ન અથવા બનવાને કારણે ગવ્ય છે. પરંતુ બંનેમાં સમાનતા કદાપિ નથી. ગવ્યના કારણે ગોમય તથા પાયસને સમાન બતાવવું સર્વથા અયુક્ત છે. તે જ રીતે ચિત્ત જાતીયની સમાનતા હોવા છતાં પણ એક ચિત્તે જોયેલો પદાર્થ બીજું ચિત્ત કેવી રીતે સ્મરણ કરી શકે ? (૨) ક્ષણિકવાદીની માન્યતામાં જીવાત્માના સ્થાને વિજ્ઞાન' તત્ત્વ માન્યું છે. અને યોગદર્શનમાં ‘વિજ્ઞાનને ચિત્ત શબ્દથી કહ્યો છે. ચિત્તને ક્ષણિક માનનારાઓના મતમાં જેને મેં જોયો હતો તેને હવે હું સ્પર્શ કરૂંછું આ પ્રકારની પ્રત્યભિજ્ઞાનું હોવું (થવું) કદાપિ સંભવ નથી. કેમ કે તેમના મતમાં જ્ઞાતા=ચિત્ત ક્ષણિક છે. માટે પ્રત્યભિજ્ઞા સંભવ નથી. (૩) ચિત્તઃમનના વિષયમાં વેદ-મંત્રો (શિવ સંકલ્પ મંત્રો)માં ઘણું જ સ્પષ્ટ કહ્યું છે. અર્થાત્ યજુર્વેદના ૩૪મા અધ્યાયમાં મનના વિષયમાં કહ્યું છે કે – મન અત્યંત વેગવાળું, રાત-દિવસ કાર્ય કરનારું, હૃદયમાં સ્થિર નિયંતા સારથિની તુલ્ય અજિર કદી પણ વૃદ્ધ ન થનારું, ત્રણેય કાળના વ્યવહારોને જાણવામાં સાધક, ઈદ્રિયોનું પ્રકાશક, બધાં કર્મોને સિદ્ધ કરનારું, નિશ્ચયાત્મક, સ્મરણ, અહંકાર આદિ વૃત્તિઓવાળું, અમૃત= શરીરની સાથે નષ્ટ ન થનારું અને જ્ઞાન વિજ્ઞાનનું સાધક છે. હવે - જે અવસ્થિત-અક્ષણિક ચિત્તનું આ શાસથી પરિકર્મ = (ક્રિયાકલાપ) નિર્દિષ્ટ કર્યું છે, તે કયા પ્રકારનો હોય છે - मैत्रीकरुणामुदितोपेक्षाणां सुखदुःखपुण्यापुण्यविषयाणां भावनातश्चित्तप्रसादनम् ॥३३॥ સૂત્રાર્થ - “ (મૈત્રી.) અર્થાત્ આ સંસારમાં જેટલાં મનુષ્ય આદિ પ્રાણી સુખી છે, તે બધાંની સાથે મિત્રતા કરવી. દુઃખીઓ પર કપા દૃષ્ટિ રાખવી. પુણ્યાત્માઓની સાથે પ્રસન્નતા. પાપીઓની સાથે ઉપેક્ષા અર્થાતુ ન તો તેમની સાથે પ્રીતિ રાખવી અને ન તો વેર રાખવું. આ પ્રકારના વર્તનથી ઉપાસકના આત્મામાં સત્ય ધર્મનો પ્રકાશ અને તેનું મન સ્થિરતાને પ્રાપ્ત કરે છે. (ઋ. ભૂ. ઉપાસના) ભાપ્ય અનુવાદ – (ઉપાસક) સુખી તથા ભોગ (સાધન) સંપન્ન બધાં પ્રાણીઓ પ્રતિ મિત્રતાની ભાવના કરે, દુઃખી પ્રાણીઓ પ્રતિ દયાની ભાવના કરે, પુણ્ય આત્માઓ સમાધિ પાદ ૯૩ For Private and Personal Use Only
SR No.020548
Book TitlePatanjal Yogdarshan
Original Sutra AuthorN/A
AuthorRajveer Shastri
PublisherDarshan Yog Mahavidyalay
Publication Year1999
Total Pages401
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy