________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
-
( દાતાનો પરિચય અને નિવેદન )
નામ : શ્રી જયંતિલાલ ખુશાલભાઈ પટેલ
તથા શ્રીમતી ગીતાબેન જયંતિલાલ પટેલ
B.A. (HONS) R.N. Bombay U.S.A. અમારા પિતાશ્રી ખુશાલભાઈ કાલિદાસ પટેલ મૂળ નિવાસી તરભણ (તા. નવસારી), પરિવારના જયેષ્ઠ પુત્ર હોવાથી, આર્થિક સ્થિતિ સુધારવાના હેતુથી નાની વયે જ માદરે વતનનો ત્યાગ કરીને સન ૧૯૩૯૪૦ના વર્ષોમાં કેન્યા (આફ્રિકા)માં ધંધાર્થે સ્થાયી થયા. ત્યાં શરૂઆતમાં નાના નાના ગામોમાં જ પોતાની કર્મભૂમિ બનાવીને અંતે કિસ્મુ ગામમાં સ્થિર થયા. સાદાઈ, ઉચ્ચ વિચારધારા તથા ધાર્મિકતા તેમના જીવનમાં સદાય ચમકતી હતી. તે સાથે કડક શિસ્તપાલનના આગ્રહી પણ હતા.
પૂ. માતુશ્રી વાલીબેન પણ સન ૧૯૩૯માં પૂ. પિતાશ્રી ખુશાલભાઈ સાથે જ આફ્રિકા આવ્યાં હતાં. બંને એ જીવનભર અથાગ મહેનત કરીને આર્થિક સ્થિતિ સુદઢ બનાવી. પોતાનાં પાંચ સંતાનોને યોગ્યતા મુજબ કેળવણી તેમજ શિક્ષણ આપ્યું. તેમનાં પાંચ સંતાનોમાંથી દીકરી ચંપાબેન તથા દીકરા ચંદ્રવદનભાઈ લંડન, યુ.કે. માં સ્થાયી થયા. જયારે જ્યેષ્ઠ પુત્ર શ્રી યંતિલાલ તથા અનુજ શ્રી રસિકભાઈ, તથા શ્રી કાન્તિભાઈ સાઉથ કેરોલિના અમેરિકામાં સ્થાયી થયા. તેમના ત્રણેય પુત્રો હોટેલ-મોટેલના વ્યવસાયમાં પરોવાયેલા છે.
મારા પતિ શ્રી જે. કે. પટેલ સને ૧૯૭૮માં અમેરિકામાં આવ્યા અને ત્યારથી જ હોટેલ-મોટેલના વ્યવસાયમાં જોડાયેલા છે. ૧૯૯૬-૯૭ના વર્ષમાં તેઓશ્રી અહીંની એશિયન-અમેરિકન હોટેલ ઓનર્સ એસોસિએશનના પ્રમુખ હતા.
આ પુસ્તક છપાવવામાં પૂ. શ્રી ચિનુભાઈ જી. પટેલે ખૂબજ મહેનત કરી છે. તે બદલ તેમનો અમારા પરિવાર તથા કુટુંબ તરફથી ખૂબ ખૂબ ધન્યવાદ કરૂ છું.
શ્રીમતી ગીતાબેન જે. કે. પટેલ B.A: (HONS) R.N. Bombay U.S.A. 4634 TOWN CREEK ROAD, ALKEN S.C. 29804 U.S.A.
For Private and Personal Use Only