SearchBrowseAboutContactDonate
Page Preview
Page 387
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ‘માર્યોદ્દેશ્યરત્માના પુસ્તકમાં લખ્યું છે કે – “જે જન્મથી લઈને મરણપર્યત બની રહે તે જાતિ કહેવાય છે.” જો યોગી અન્ય પશુ વગેરે પ્રાણીઓના શરીર ધારણ કરી લે, તો તે મરણપર્યત ક્યાં રહ્યું? પ્રમાણ આદિ વૃત્તિઓનું લિસ્ટ તથા અકિલwત્વ કેવી રીતે થાય છે? યોગદર્શનમાં ચિત્તની વૃત્તિઓના પાંચ ભેદ કહ્યા છે- પ્રમાણ, વિપર્યય, વિકલ્પ, નિદ્રા અને સ્મૃતિ. આ વૃત્તિઓને ક્લેશનું કારણ તથા અકિલષ્ટ પણ માની છે. માટે સંદેહ થાય છે કે જે અકિલષ્ટ વૃત્તિ છે, તે પણ ક્લેશનું કારણ કેમ? તેનો યુક્તિયુક્ત ઉત્તર જાઓ દરેક વૃત્તિ સુખ અને દુઃખ બંનેને ઉત્પન્ન કરે છે, જેમ કે એક વ્યક્તિ (પ્રમાણવૃત્તિની અંતર્ગત) પ્રત્યક્ષ પ્રમાણથી પોતાના મિત્રને જુએ છે, તો તેને સુખ ઉત્પન્ન થાય છે, અને જયારે કોઈક બીજી વિરોધી અથવા અપ્રિય) દુઃખદાયક વ્યક્તિને જાએ છે તો દુઃખ ઉત્પન્ન થાય છે. આ જ પ્રકારે અનુમાન અને શબ્દ પ્રમાણને પણ સમજી લેવાં જોઈએ. એક વ્યક્તિ અંધકારમાં પડેલા દોરડાને જાએ તો તેને સાપ સમજીને દુઃખનો અનુભવ કરે છે. તે જ પ્રકારે દોરડાને ઈચ્છતો જયારે સાપને અંધકારમાં દોરડાના જેવું જોઈને એમ સમજે છે કે મારૂં દોરડાથી થનારું કાર્ય આનાથી સિદ્ધ થઈ જશે, ત્યારે તે સુખનો અનુભવ કરે છે. અથવા કોઈએ કહ્યું કે વંધ્યાને પુત્ર આવી રહ્યો છે અને તે ઘણો જ સુખદાયક છે. આ વાકયને સાંભળીને સુખ ઉત્પન્ન થાય છે..... દુઃખદાયક છે તો સાંભળનારો દુ:ખનો અનુભવ કરે છે. આ વિકલ્પ વૃત્તિ બે પ્રકારની થઈ. નિદ્રાવૃત્તિ-જયારે સાત્ત્વિક નિંદ્રા (ગાઢ નિંદ્રા) આવે છે તો સુખ ઉત્પન્ન થાય છે. અને જયારે રાજસિક નિદ્રા આવે છે, ત્યારે દુઃખ ઉત્પન્ન થાય છે. સ્મૃતિ-સુખદાયક વિષયની સ્મૃતિથી સુખ... અને દુઃખદાયક... સ્મૃતિથી દુઃખ ઉત્પન્ન થાય છે.” (યોગ મિમાંસા માંથી) નિદ્રા-વૃત્તિ રોકવાનો અભિપ્રાય શું છે? “(પ્રશ્ન) શું ૨૪ કલાક નિંદ્રાને રોકવાથી સમાધિની સિદ્ધિ થાય છે? (ઉત્તર) ના (નહીં). ફક્ત સમાધિકાળમાં નિદ્રાને રોકવી જરૂરી છે. ઋષિ દયાનંદે સત્યાર્થ પ્રકાશના મા સમુલ્લાસમાં લખ્યું છે કે-મુમુક્ષુએ ઓછામાં ઓછું બે કલાક નિત્ય (દરરોજ) ધ્યાન અવશ્ય કરવું જોઈએ.... જો કોઈ અધિક કરવા માંગે તો અધિક પણ કરી શકે છે. પરંતુ ૨૪ કલાક યોગાભ્યાસ કરવો જરૂરી નથી. જે લોકો ૨૪ કલાક નિંદ્રાને જીતવી સમાધિને માટે જરૂરી માને છે, તેઓ યોગના સ્વરૂપને નથી જાણતા. આહાર, નિંદ્રા અને બ્રહ્મચર્યસ્વાથ્યની સુરક્ષાને માટે જરૂરી છે. તેના વિના વ્યક્તિ રોગી થઈને યોગાભ્યાસને યોગ્ય નથી રહેતી....એટલા માટે ઠીક સમય પર સુઈ જવું અને ઠીક સમય પર ઉઠીને નિદ્રા રહિત થઈને યોગાભ્યાસ કરવો એજ નિંદ્રાને જીતવી કહેવાય છે. (એટલા માટે ગીતામાં પણ કહ્યું છે – કે પરિશિષ્ટ उ८१ For Private and Personal Use Only
SR No.020548
Book TitlePatanjal Yogdarshan
Original Sutra AuthorN/A
AuthorRajveer Shastri
PublisherDarshan Yog Mahavidyalay
Publication Year1999
Total Pages401
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy