SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir तत: क्लेशकर्मनिवृत्तिः ॥३०॥ સૂત્રાર્થ - (તત.) તે ધર્મમેઘ સમાધિના સિદ્ધ થવાથી વત્તે શનિવૃત્તિ ) અવિદ્યા આદિ લેશો તથા પુણ્ય અપુણ્યરૂપ કર્મોની નિવૃત્તિ થઈ જાય છે. ભાપ્ય અનુવાદ-તે ધર્મમેઘ સમાધિના લાભ (સિદ્ધ) થઈ જવાથી અવિદ્યા આદિ ક્લેશો સમૂર્તવE = સમૂળા નાશ થઈ જાય છે. સુશત = પુણ્યરૂપ અને માત્ર = અપુણ્યરૂપ કર્ભાશય સમૂળ નાશ થઈ જાય છે. લેશો અને કર્મોની નિવૃત્તિ થઈ જતાં વિદ્રાન = વિવેકખ્યાતિને પ્રાપ્ત કરનાર યોગી - જીવિત રહેતાં જ મુક્ત થઈ જાય છે. તેનું કારણ શું છે? કેમ કે વિપર્યય = મિથ્યાજ્ઞાન જ સંસાર = જન્મ મરણ રૂપ સંસાર ચક્રનું કારણ હોય છે. જેનું મિથ્યાજ્ઞાન નાશ થઈ ગયું છે, એવું કોઈપણ પ્રાણી કયાંય ઉત્પન્ન થયું હોય એવું કોઈએ જોયું નથી. ભાવાર્થ - આ સૂત્રમાં ધર્મમેઘ સમાધિનું ફળ કથન કરવામાં આવ્યું છે. વિવેકખ્યાતિથી ધર્મમેઘ સમાધિ સિદ્ધ થતાં યોગીના અવિદ્યા આદિ પાંચ ક્લેશ અને પુણ્યાપુણ્ય કર્ભાશય સમૂળ નાશ થઈ જાય છે અવિદ્યા આદિ લેશોને કારણે પુણ્ય-અપુણ્ય કર્મોમાં જીવની પ્રવૃત્તિ થાય છે. માટે લેશોનો નાશ કરીને અથવા લેશોમાં પણ મુખ્ય વિપર્યયન મિથ્યાજ્ઞાનને દૂર કરવાથી યોગી જીવન દશામાં જ મુક્ત થઈ જાય છે. કેમ કે મિથ્યાજ્ઞાન જ જન્મ-મરણ રૂપ સંસારનું કારણ છે. અવિદ્યા આદિ ક્લેશ તથા મિથ્યાજ્ઞાન જેનાં નાશ થઈગયાં છે, એવો કોઈ પુરુષ જન્મ લેતો સંસારમાં ક્યાંય જોવામાં આવ્યો નથી. ૩૦ હવે - ક્લેશ કર્મ વિમુક્ત પુરુષની સ્થિતિ કેવી હોય છે? तदा सर्वावरणमलापेतस्य ज्ञानस्याऽऽनन्त्याज्ञेयमल्पम् ॥३१॥ સૂત્રાર્થ - (CT) ધર્મમેઘ સમાધિ દશામાં અવિદ્યા આદિ ક્લેશો તથા કર્મોની નિવૃત્તિ થતાં (સર્વાવરમાવેતસ્ય જ્ઞાનથી બધા પ્રકારનું આચ્છાદાન કરનારા તમોગુણ આદિ મળોના પ્રભાવથી રહિત ચિત્તસ્થ પ્રકાશનું (માનન્યાત) અત્યધિક થવાથી તેણેયમ) જાણવા યોગ્ય વિષય (અન્ય) તુચ્છ થઈ જાય છે. ભાષ્ય અનુવાદ - સમસ્ત અવિદ્યા આદિ લેશો તથા કર્મોનાં આવરણોથી મુક્ત જ્ઞાનની અનંતતા = અત્યધિકતા થઈ જાય છે. અને આચ્છાદિત કરનારા તમોગુણથી મિમૃત = દબાયેલો પ્રકાશાત્મક સત્ત્વગુણ જો રજોગુણથી પ્રવર્તિત થઈ ગયો હોય તો કયાંક જ = કોઈ ય પદાર્થના વિષયને જ ગ્રહણ કરવામાં સમર્થ થાય છે, અને જયારે તે જ્ઞાન-સર્વ = ચિત્ત, સમસ્ત આવરણ કરનારા મળોથી રહિત થઈ જાય છે = નિર્મળ થઈ જાય છે, ત્યારે જ્ઞાનની અનંતતા = અત્યધિકતા થઈ જાય છે. અને પછી જ્ઞાનના અનંત = અત્યધિક થવાથી ય = જાણવા યોગ્ય વિષય એવા જ મત્વ = સર્વથા ઓછા કૈવલ્યપાદ ૩પ૭ For Private and Personal Use Only
SR No.020548
Book TitlePatanjal Yogdarshan
Original Sutra AuthorN/A
AuthorRajveer Shastri
PublisherDarshan Yog Mahavidyalay
Publication Year1999
Total Pages401
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy