SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અર્થાત્ એક સાથે અનેક જ્ઞાન ન થવાં એ જ મનનું જ્ઞાપક લિંગ (ચિહ્ન) છે. હવે – જો ક્ષણિકવાદીની એવી મતિ – માન્યતા હોય કે પોતાના વ્યાપારથી નિરુદ્ધ =નાશ થયેલું ચિત્ત પોતાના (સમીપી = પરવર્તી) બીજા ચિત્ત દ્વારા ગૃહીત થાય છે તો - चित्तान्तरदृश्ये बुद्धिबुद्धेरतिप्रसङ्ग : સ્મૃતિસંરવ ।। ।। સૂત્રાર્થ - (પિત્તાન્તરવૃશ્ય) પૂર્વ ચિત્તને બીજા ચિત્તનું દૃશ્ય (વિષય) માનવાથી (બુદ્ધિબુદ્ધે :) બુદ્ધિ—તે જ્ઞાતા ચિત્તને જાણવાને માટે બીજી બુદ્ધિ = જ્ઞાતા ચિત્તને માનવાથી (અતિપ્રસં। :) અનવસ્થા દોષ ઉત્પન્ન થાય છે (૬) અને (સ્મૃતિસંર :) સ્મૃતિઓનું પરસ્પર સંકર = મિશ્રણ પ્રાપ્ત થાય છે. ભાપ્ય અનુવાદ - (ચિત્તાન્તર દૃશ્ય) જો પ્રથમ ચિત્ત (સમનન્તરવર્તી) બીજા ચિત્તથી ગૃહીત થાય છે તો બુદ્ધિની બુદ્ધિ = પૂર્વ ચિત્તનું જ્ઞાતા કોનાથી ગૃહીત થાય છે ? (જો) તે પણ બીજા ચિત્તથી અને (બીજુ) ચિત્ત પણ બીજા (ત્રીજા) ચિત્તથી ગ્રહીત જાણી શકાય છે, તો અતિપ્રસંગઃ = અનવસ્થા દોપ આવેછે. અને (સ્મૃતિસં૪) સ્મૃતિઓનું સંકર (અવ્યવસ્થા) દોષ પણ થશે. તથા (વિભિન્ન) ચિત્તોના જેટલા અનુભવો હશે, તેટલી જ સ્મૃતિઓ (એક સાથે) પ્રાપ્ત થશે અને એ સ્મૃતિઓની સકીર્ણતાના કારણે કોઈપણ એક સ્મૃતિનો નિશ્ચય નહીં થઈ શકે. = આ પ્રકારે ચિત્તના પ્રતિસંવેદ્રી યથાર્થજ્ઞાતા પુરુષનો સ્વીકાર ન કરનારા વૈનાશિ = ક્ષણિકવાદીઓની (બંધ મોક્ષ સંબંધી) બધી વ્યવસ્થા જ અસ્તવ્યસ્ત કરી દીધી છે. તે ક્ષણિકવાદી લોક ભોક્તા પુરુષના સ્વરૂપની જે કોઈ પદાર્થમાં (ચિત્ત આદિમાં) કલ્પના કરતા યાયાવરળ = યુક્તિયુક્ત વ્યવહારથી સંગત નથી થઈ શકતા. કેટલાક ક્ષણિકવાદી સત્ત્વમાત્ર = ચિત્તથી ભિન્ન પુરુષની સત્તા પણ કલ્પિત કરે છે - - સત્ત્વ = પુરુષ છે, જે આ પાંચ સ્કંન્ધોને છોડીને (મરણોત્તર) બીજા સ્કન્ધોને ધારણ કરી લે છે. એવું કહીને પછી તે જ પુરુષની સત્તાને માનવાથી ભયભીત થઈ રહ્યા છે. અને આ પાંચ સ્કન્ધોના મહાનિર્દેવ = ગ્લાનિભાવ તથા પરવૈરાગ્યની પ્રાપ્તિને માટે ફરી જન્મ આદિના અભાવને માટે અને શાન્તિ પ્રાપ્તિને માટે ગુરુની નજીક (જઈને) બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરીશ, એવું કહીને સત્ત્વ = પુરુષના સત્ત્વ = અસ્તિત્ત્વનો જ ઞપત્તાપ (નિષેધ)=ખંડન કરે છે. સાંખ્ય અને યોગ આદિ શાસ્ત્રોનો તો આ પ્રવાર્ = પ્રકૃષ્ટવાદ (દૃઢ માન્યતા) છે કે તેઓ ‘સ્વ’ શબ્દથી સ્વામી પુરુષને જ ચિત્તનો ભોક્તા સ્વીકાર કરે છે. ભાવાર્થ – જો ક્ષણિકવાદી આમ કહે કે એક ચિત્તથી વિષયનું ગ્રહણ થાય છે અને તે વિષય સહિત ચિત્તનું જ્ઞાન બીજા ચિત્તથી થાય છે. આ પ્રકારે પૂર્વ સૂત્રમાં કથિત દોષ પણ નથી આવતો અને ચિત્તથી ભિન્ન પુરુષ તત્ત્વને માનવાની પણ આવશ્યકતા કૈવલ્યપાદ ૩૪૫ For Private and Personal Use Only
SR No.020548
Book TitlePatanjal Yogdarshan
Original Sutra AuthorN/A
AuthorRajveer Shastri
PublisherDarshan Yog Mahavidyalay
Publication Year1999
Total Pages401
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy