SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir થાય છે? અથવા જીવને કર્મ પ્રમાણે જે યોનિ મળે છે, તે વખતે બીજાં કર્મોની વાસનાઓ ઉબુદ્ધ (જાગૃત) કેમ નથી થતી? તેનું સમાધાન આ સૂત્રમાં આપવામાં આવ્યું છે. જો કે જીવોના કર્મફળની વ્યવરથા ઈશ્વરીય નિયમથી થાય છે, અને ઈશ્વર પરમન્યાયકારી, અને જીવોની પ્રત્યેક ચેપ્ટાને જાણે છે. તેની વ્યવસ્થામાં કોઈપણ પ્રકારનો અન્યાય થવો સંભવ નથી, કેમકે તે સર્વજ્ઞ છે. જીવોનાં ઉપર કહેલાં (ઉપર્યુક્ત) કર્મોમાંથી કયા કર્મ જલ્દી ફલોન્મુખ થશે અને કયા નહી, એ જીવોના જ્ઞાનથી દૂરની વાત છે. પરંતુ એ તો સત્ય છે કે જે કર્મોનું આધિય અથવા પ્રબળતા હોય છે, તેમનું ફળ પહેલું મળે છે, અને જે કર્મ ઈશ્વરીય વ્યવસ્થાથી ફલોન્મુખ થાય છે, તેમને અનુરૂપ જ વાસનાઓની અભિવ્યક્તિ (પ્રકટતા) થાય છે. બીજાં કર્મ પ્રસુખ-દશામાં જ દબાયેલાં રહે છે. ઉદાહરણ સ્વરૂપ જ્યારે કર્મોનું ફળ મનુષ્યયોનિ હોય છે, તો તેને અનુરૂપ વાસનાઓ જાગૃત થાય છે અને જે કર્મ અથવા કર્મ સમૂહનો વિપાક=તરત ફળ પ્રાપ્તિ-થવાનો હોય છે, તેનાથી ભિન્ન કર્મ અભિભૂત દશામાં રહે છે, અને તે ન તો બાધક બને છે, કે ન તો ફલોન્મુખ થાય છે. દાખલા તરીકે કોઈક જીવના મનુષ્યયોનિ આપનારાં કર્મોનો વિપાક થઈ રહ્યો છે, તે વખતે ન તો તિર્યક આદિ યોનિ અપનારાં કર્મોનો વિપાક જ થાય છે, કે નથી તો તે બાધક બનતાં. કર્મફળની વ્યવસ્થાનો એ પણ નિયમ છે કે જે જાતિ (યોનિ)ના કર્મોનો વિપાક થઈ રહ્યો છે, તે બીજી જાતિની યોનિની) વાસનાઓની અભિવ્યક્તિનું કારણ પણ નથી બનતાં. જેમ – કે જો મનુષ્યોચિત કર્મોનો વિપાક થઈ રહ્યો છે, તો તે કર્મ તિર્યક (પશુ-પક્ષી આદિ) જાતિની વાસનાઓની અભિવ્યક્તિના નિમિત્ત પણ નથી બની શકતાં. . ૮ નોંધ : જે તેનું તાત્પર્ય એ છે કે – દેવકર્મની જેમ નારકીય આદિ કર્મ ફળોની પણ વાસનાઓ સમજવી જોઈએ. જેમ - મનુષ્યને યોગ્ય ફલોન્મુખ કર્મ નારકીય તથા તિર્યક - સંબંધી વાસનાઓની અભિવ્યક્તિનું કારણ નથી બનતું, પરંતુ મનુષ્યને યોગ્ય કર્મોની વાસનાઓ જ પ્રકટ કરે છે. તે જ પ્રકારે નારકીય, તિર્યક, અને કર્મવાસનાઓના સંબંધમાં પણ સમજવું જોઈએ. હવે સ્મૃતિ અને સંસ્કારોની એકરૂપતાથી જાતિ (યોનિ) આદિગત વ્યવધાન (અંતરાય) હોવા છતાં પણ વાસનાઓનું સામીપ્ય બની રહે છે. जातिदेशकालव्यवहितानामप्यानन्तर्य स्मृतिसंस्कारयोरेकरूपत्वात् ॥९॥ સૂત્રાર્થ- (નાતિ-જી-ક્ષત્તિ વ્યવદિતાનY) જાતિ=વિભિન્ન જન્મ, દેશ=સ્થાન, તથા કાળના વ્યવધાનથી યુક્ત વાસનાઓનું (વિ) પણ (મનન્તર્ય) વ્યવધાન -રહિતતા=સમીપતા હોય છે. (મૃતિસંરયો.)મૃતિ અને સંસ્કારોની કુપાત) ૩૨૨ યોગદર્શન For Private and Personal Use Only
SR No.020548
Book TitlePatanjal Yogdarshan
Original Sutra AuthorN/A
AuthorRajveer Shastri
PublisherDarshan Yog Mahavidyalay
Publication Year1999
Total Pages401
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy