SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir | મોરમ્ | अथ चतुर्थ : कैवल्यपाद : प्रारभ्यते॥ હવે ચોથો કૈવલ્યપાદ શરૂ થાય છે. जन्मौषधिमन्त्रतपः समाधिजा : सिद्धयः ॥४॥ સૂત્રાર્થ (નૌષધમત્ર તા : સમાધના :) બીજા જન્મોથી સિદ્ધ થયેલી, રસાયણ ઔષધિઓથી (દવાઓથી), મંત્ર-જપથી, તપથી તથા સમાધિથી ઉત્પન્ન = પ્રાપ્ત થનારી (સિદ્ધય:) સિદ્ધિઓ (પાંચ પ્રકારની) હોય છે. ભાખ-અનુવાદ:બીજા દેહથી (પૂર્વ જન્માંતરથી) પ્રાપ્ત સિદ્ધિ (નનના) જન્મજાત હોય છે. (મજુર મવન) પ્રાણપદ (જીવન આપનાર) ભવનો (ચિકિત્સાલયો = દવાખાના)માં સિદ્ધ કરેલી (રાવન) જીવનપ્રદ ઔષધિઓ (દવાઓ) થી સિદ્ધિ પ્રાપ્ત કરવી; મંત્રોથી = વેદાધ્યયન દ્વારા જ્ઞાન પ્રાપ્તિથી અથવા ગાયત્રી વગેરે મંત્રોના જપથી આકાશગમન તથા અણિમા આદિ સિદ્ધિઓ પ્રાપ્ત કરવી, (૫) બ્રહ્મચર્ય આદિ વ્રતોના અનુષ્ઠાનથી સંન્યસિદ્ધિ= સંકલ્પ પ્રમાણે વિચરણ કરવું (ફરવું) વગેરે સિદ્ધિઓ પ્રાપ્ત કરવી અને સમાધિથી = ચિત્તવૃત્તિ નિરોધથી થનારી સિદ્ધિઓ (વિભૂતિપાદમાં) કહેવામાં આવી છે. ભાવાર્થ યોગ દર્શનના પાછળના ત્રણ પાદોમાં ક્રમશઃ સમાધિનું સ્વરૂપ, સમાધિ પ્રાપ્ત કરવાના સાધન, અને સમાધિથી થનારી વિભૂતિઓનું વિસ્તૃત કથન કરવામાં આવ્યું છે, અને તેમની સાથે તેમના સંબંધી પ્રાસંગિક વિષયોનું પણ વર્ણન કરવામાં આવ્યું છે. હવે આ ચોથા પાદ માં સમાધિના ફળરૂપ “કૈવલ્ય'નું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે. એમાં પહેલાં કૈવલ્ય પ્રાપ્તિને યોગ્ય ચિત્તનો નિર્ણય કરવાને માટે સૌથી પહેલાં ચિત્તમાં થનારી સિદ્ધિઓનું કથન કરવામાં આવ્યું છે. જે આ પ્રકારે છે. - (૧) જન્મજાત સિદ્ધિ: જે બીજા જન્મોમાં કરવામાં આવેલાં યોગ-અનુષ્ઠાન આદિથી પ્રાપ્ત થઈ જાય, તેને જન્મજાત સિદ્ધિ કહે છે. પૂર્વ જન્મમાં જીવાત્માએ જેવાં ઉત્તમ અથવા નિકૃષ્ટ કર્મ કર્યા હોય છે, તે અનુસાર જ આગળનો જન્મ ધારણ કરે છે. એમાં કેટલાંક પ્રમાણ જુઓ - (ક) રેવત્વ સાત્ત્વિ યાંતિ મનુષ્યત્વે વનસા || तिर्यक्त्वं तामसा नित्यमित्येषा त्रिविधा गति : ।। (मनु. १२/४०) અર્થાત્ જે મુખ્ય સત્ત્વગુણી હોય છે, તે ઉત્તમ દેવ=વિદ્વાન, જે રજોગુણી છે તે મધ્યમ મનુષ્ય અને જે તમોગુણી છે તે પક્ષી આદિ નિકૃષ્ટ (હલકી) ગતિને પ્રાપ્ત કરે છે. (ખ) નિકળે પ્રપદ્યન્ત શરીરત્વયિ દિન: | થાળુ વેડનુસંક્તિ યથાર્થ યથાશ્રુતમ્ II (ડો. ૬/૭). યોગદર્શન ૩૧૦ For Private and Personal Use Only
SR No.020548
Book TitlePatanjal Yogdarshan
Original Sutra AuthorN/A
AuthorRajveer Shastri
PublisherDarshan Yog Mahavidyalay
Publication Year1999
Total Pages401
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy