SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કહેવાય છે. કેમ કે તે સમયે રજોગુણ તથા તમોગુણ અભિભૂત દશામાં રહે છે અને પુરુપ” શબ્દથી જીવાત્માતત્ત્વનું ગ્રહણ છે. એ બંનેના ભેદનો સાક્ષાત્કાર થવાથી યોગીને બે સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. તે આ પ્રકારે છે - (૧) સર્વભાવાધિષ્ઠાતૃત્વ-યોગી સંયમના અભ્યાસથી એવી સ્થિતિમાં પહોંચી જાય છે કે રજોગુણ તથા તમોગુણના મળોથી રહિત સત્ત્વગુણની પ્રધાનતા થવાથી તથા નિર્મળ અંત:કરણ થવાથી ઉત્કૃષ્ટ વૈરાગ્ય દશાને પ્રાપ્ત કરી લે છે, તે વખતે સમસ્ત ત્રિગુણાત્મક પ્રતિકૂળ વિકારો પણ પુરુપરસ્વામીની સામે ઉપસ્થિત થઈને યોગીને આકૃષ્ટ કરી નથી શકતા. યોગી તેમને વશમાં કરીને પોતાનાં અભિપ્રેત કાર્યોને કરે છે. એ જ યોગીનું સર્વભાવાધિષ્ઠાતૃત્વ કહેવાય છે. (૨) સર્વજ્ઞાતૃત્વ-ગ્રાહ્ય તથા ગ્રહણને જાણનારો યોગી જગતનાં બધાં જ તત્ત્વોને જાણી લે છે. યોગીને માટે એવું કોઈ તત્ત્વ બાકી નથી રહેતું, કે જેનું યથાર્થ સ્વરૂપ યોગી જાણતો ન હોય. આ સ્થિતિને જ સૂત્રકારે સર્વજ્ઞાતૃત્વ કહી છે. વ્યાસભાગ્યમાં આ વિષયમાં કહ્યું છે કે પ્રકૃતિજન્ય વિશ્વ ત્રિગુણાત્મક છે, જેટલા પણ ધર્મારૂપે પ્રાકૃતિક પદાર્થો છે, તેમનામાં શાન્ત, વર્તમાન તથા ઉદિત થનારા ગુણોનો કોઈપણ જાતના ક્રમ વિના જયારે -વિવેકજ જ્ઞાન થઈ જાય છે, ત્યારે યોગી બધાં તત્ત્વોને જાણવાથી સર્વજ્ઞ કહેવાય છે. એટલા માટે જીવાત્માની સર્વજ્ઞતા સાપેક્ષ જ છે, પરમેશ્વરની માફક નહીં. - યોગીની આ સિદ્ધિઓને વ્યાસભાપ્યમાં ‘વિશોકા” નામથી કહી છે. તેનું કારણ બધા લેશોના બંધનથી રહિત થઈ અને વશી (સ્વતંત્ર) થઈને સ્વેચ્છાથી વિચરવાથી છે. આ દશામાં યોગી સર્વથા શોકરહિત થઈ જાય છે. સર્વજ્ઞતાનો ભાવ એ છે કે તેને માટે કોઈ તત્ત્વ જોય નથી રહેતું. એટલા માટે ઉપનિષદોમાં કહેવામાં આવ્યું છે કે – 'आत्मनो वा अरे दर्शनेन श्रवणेन मत्या विज्ञानेनेदं सर्व विदितम् ।।' (બૃહદ, ઉપનિષદ ૨/૪/પ) અર્થાત્ અંતિમ આત્મ-તત્ત્વને જાણવાથી બધાનું જ્ઞાન થઈ જાય છે. જે ૪૯ . હવે - વિશોકાસિદ્ધિથી પણ વૈરાગ્ય થવાથી કૈવલ્ય=મોક્ષ પ્રાપ્તિ - तद्वैराग्यादपि दोषबीजक्षये कैवल्यम् ॥५०॥ સૂત્રાર્થ (તદ્ વૈરાગદ્ ) એ પૂર્વસૂત્રોક્ત સત્ત્વગુણ પ્રધાન વિશોકાસિદ્ધિથી પણ વિરક્ત થવાથી રોષ વીના બધા અસ્મિતા આદિ લેશો તથા તેમનું બીજ= કારણરૂપ અવિદ્યાનો નાશ થતાં વૈવલ્યY) ગુણોનો આયન્તિક વિયોગ થવાથી પુરુષનો મોક્ષ થાય છે. મહર્ષિ દયાનંદકત વ્યાખ્યા -“(તવૈરાષ૮) અર્થાતુ શોકરહિત વગેરે સિદ્ધિથી પણ વિરક્ત થઈ બધા લેશો અને દોષોનું બીજ જે અવિદ્યા છે, તેનો નાશ કરવાને માટે વિભૂતિપાદ ૨૯૭ For Private and Personal Use Only
SR No.020548
Book TitlePatanjal Yogdarshan
Original Sutra AuthorN/A
AuthorRajveer Shastri
PublisherDarshan Yog Mahavidyalay
Publication Year1999
Total Pages401
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy