SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જાણી લેવી” (ઋ. ભૂ. પ્રતિજ્ઞાવિપય). એટલા માટે યોગદર્શન ઉપાસનાવિષયક મુખ્ય શાસ્ત્ર છે. અને તેને પરમેશ્વરના સાચા ઉપાસક જ સમજી શકે છે. વર્તમાન સમયમાં યોગના વિષયમાં અત્યધિક ભ્રાન્તિઓ ફેલાવવામાં આવી રહી છે. પોતાની જાતને સ્વયંભૂમહાયોગી બતાવીને યોગના નામથી જેઠગવિદ્યા ચાલી રહી છે, તેનું નિરાકરણ આ યોગ ભાગ્યથી જરૂર થઈ શકશે. કેમ કે મહર્ષિ દયાનંદ આ યુગના મહાન યોગી થયા છે. અને તેમણે પોતાના ગ્રંથોમાં આ દર્શનનાં પર્યાપ્ત સૂત્રોના અર્થોને સ્પષ્ટ કર્યા છે. આ ભાયમાં મહર્ષિ દયાનંદની એ વ્યાખ્યાઓને યથાસ્થાને રાખવામાં આવી છે. (૨) પાતંજલ યોગ સૂત્રો પર પ્રાચીન તથા પ્રામાણિક મહર્ષિ વ્યાસનું સંસ્કૃત ભાગ્ય ઉપલબ્ધ છે. ઋષિઓના રહસ્યને ઋપિ જ વધારે સમજીને યથાર્થ વ્યાખ્યા કરી શકે છે. એટલા માટે વ્યાસ ભાષ્યની યોગસૂત્રોને સમજવામાં અધિક ઉપયોગિતા છે. પ્રાય વ્યાખ્યાકાર વ્યાસ ભાગ્યને સંસ્કૃતમાં હોવાથી છોડી દે છે, જેનાથી પાઠક મૂળ ભાયથી વંચિત જ રહે છે. આ ભાગ્યમાં વ્યાસ-ભાગ્યને અસુષ્મતથા શુદ્ધ રૂપથી પ્રકાશિત કરીને તેની આર્ય-ભાષામાં જનસાધારણના લાભાર્થે વ્યાખ્યા કરવામાં આવી છે. (.....ગુજરાતી ભાષામાં કરેલા આ અનુવાદમાં તો સંસ્કૃતમાં કરેલ વ્યાસભાપ્ય છોડી જ દેવામાં આવ્યું છે. જિજ્ઞાસુ પાઠકો મૂળ આર્ય-ભાષામાં ઉપલબ્ધ પુસ્તક જોઈ શકે છે.) (૩) મહર્ષિ વ્યાસે સૂત્રગત કયા પદની શી વ્યાખ્યા કરી છે તે વ્યાસ ભાયના પાઠકોને સ્પષ્ટ થઈ શકે, એટલા માટે સંસ્કૃત વ્યાસ ભાગ્યમાં આવો કૌસ બનાવીને સૂત્રના પદોનો નિર્દેશ પણ કરવામાં આવ્યો છે. (૪) આ ભાષ્યમાં અનેક જટિલ સમસ્યાઓને યોગદર્શન તથા વ્યાસ-ભાખની અંતઃસાક્ષીઓથી સમજાવવામાં આવી છે. જેમ કે – કેટલીક આ પ્રકારે છે(ક) યો. ૧રના ભાષ્યમાં જીવાત્માને “અંનતા' તથા યો. ૧૯ના ભાગ્યમાં નિષ્ક્રિય' કહ્યો છે, કે જે પાઠકને ભ્રાન્તિમાં નાખી દે છે. તેની સુસંગત વ્યાખ્યા તેમાં વાંચો. (ખ) ધો. ૧/૧૯ સૂત્રમાં વિદેહયોગી તથા પ્રકૃતિલયયોગીઓનું કથન છે. તેમનું યથાર્થતાત્પર્ય શું છે? ભવપ્રત્યય, ઉપાય પ્રત્યયયોગીઓમાં શું અંતર (તફાવત) છે? તેની વ્યાખ્યા યો. ૧/૧૯માં જુઓ. (ગ) ઈશ્વર સાકારછે કે નિરાકાર છે? ઈશ્વર અવતાર લે છે કે નહીં? વગેરે આસ્તિક જગતની જટિલ સમસ્યાઓનું સમાધાન યો. ૧/ર૪-૨૬ સૂત્રોમાં વાંચો. (ઘ) ઈશ્વરનું મુખ્ય નામ શું છે? ઉપાસકે ઉપાસના સમયમાં ક્યા નામનો જપ કરવો જોઈએ? તેનો ઉત્તર યો. ૧ર૭-૨૮ સૂત્રોમાં વાંચો. (ક) યો. ૧/૩૯ માં “યથામતિથન'નો શું અભિપ્રાય છે? તે વાંચો. (ચ) પરબ્રહ્મની પ્રકૃતિથી પણ સૂક્ષ્મતા તથા ભિન્નતા યો. ૧૪૫ સૂત્રમાં વાંચો. ૨૪. યોગદર્શન For Private and Personal Use Only
SR No.020548
Book TitlePatanjal Yogdarshan
Original Sutra AuthorN/A
AuthorRajveer Shastri
PublisherDarshan Yog Mahavidyalay
Publication Year1999
Total Pages401
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy