SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પર ભૂતપ્રેતોની જાળ શા માટે ફેલાવેછે? તથા તેઓ ભૂલોકનાં પ્રાણીઓને દુઃખ આપવા માટે શું કામ આવે છે? ફલત યથાર્થમાં આ બધી ખોટી કલ્પનાઓ જ છે. મર્યા પછી જીવાત્મા તેના કર્મો પ્રમાણે યોનિઓમાં ઈશ્વરની વ્યવસ્થાથી ચાલ્યા જાય છે, તેમનું શ્રાદ્ધ વગેરેના સમયે આવવું કોઈપણ પ્રકારે સંભવ નથી. ભૂત પ્રેતનો પણ અંધ વિશ્વાસ જ છે. એટલા માટે જે એમને માને છે, તેમને જ સતાવે છે, બીજાને નહીં, અથવા ભૂતપ્રેતોને માનવાવાળાઓને એમ શિખવવા ઈચ્છે છે કે તમે પણ આ મિથ્યા વાતોને છોડીને સુખેથી રહો. (૬) એક કલ્પનું આયુષ્ય ચાર અબજ બત્રીસ કરોડ વર્ષ માનવામાં આવ્યું છે. અને તેટલાં જ વર્ષો પ્રલયનાં હોય છે. અને અહીં ભૂમિથી ઊપરના લોકોમાં રહેનારા દેવગણોનું આયુષ્ય એકકલ્પથી લઈને એક લાખ અઠ્ઠાવીસ હજાર કલ્પપર્યત બતાવી છે. આ પણ મહાન ગપછે. આટલું લાંબુ આયુષ્ય કોઈનું પણ સંભવ નથી. શાસ્ત્રોના આધાર પર મોક્ષનો પણ આટલો સમય નથી. અને જ્યારે એ દેવોને ઉર્ધ્વરેતા લખ્યા છે, રેતનો અર્થ વીર્ય છે, વીર્ય વગેરે ધાતુઓ શરીરમાં પેદા થાય છે, અને અપ્સરાઓ તેમની સેવા કરનારી માની છે. તેમને અણિમા વગેરે ઐશ્વર્યોવાળા બતાવ્યા છે, તથા ભવનોમાં નિવાસ કરનારાં માનવામાં આવ્યા છે. ઈત્યાદિ વાતોથી એ દેવો શરીરધારી સિદ્ધ થાય છે. પરંતુ કોઈપણ શરીરધારી આટલા લાંબા આયુષ્યવાળો નથી હોઈ શકતો. ઈત્યાદિ વાતોથી સ્પષ્ટ છે કે બધું પાછળથી ઉમેરેલું છે. મહર્ષિ વ્યાસ જેવા આપ્તપુરુષ આવી મિથ્યા વાતો કદાપિ લખે નહીં. નહીંતર તેમને આપ્તપુરુષ અથવા મહર્ષિ શબ્દથી કહેવાનું મિથ્યા થશે. જે ર૬ હવે - ચંદ્રમાં સંયમનું ફળ - વ તારવ્યશનિ / ર૭ / સૂત્રાર્થ - (ર) શરીરમાં રહેલી પિંગળા નાડીમાં સંયમ કરીને તારીગૂજ્ઞાનH) યોગી તારાઓના બૃહ સ્થિતિક્રમ (નિવેશ) ને જાણી શકે છે ભાપ્ય અનુવાદ – + ચન્દ્રમામાં સંયમ કરીને તારાઓના બૂહ = સ્થિતિક્રમને જાણી શકે છે. ભાવાર્થ-આ સૂત્રના વિષયમાં આગળના સૂત્ર (૩/૨૮)નો ભાવાર્થ દ્રષ્ટવ્ય છે. [+= આ સિદ્ધિ પરીક્ષા-કોટિમાં છે.] ૧ ૨૭ છે હવે - ધ્રુવમાં સંયમનું ફળ - gવે તાતિજ્ઞાન // ૨૮ સૂત્રાર્થ - (પુ) ધ્રુવ નાડીમાં સંયમ કરીને ( તતાન) તારાઓની ગતિનું જ્ઞાન થાય છે. ભાપ્ય અનુવાદ - યોગી પછી ધ્રુવમાં સંયમ કરીને તિજ્ઞાન) તારાઓની ગતિને ૨૭૦ યોગદર્શન For Private and Personal Use Only
SR No.020548
Book TitlePatanjal Yogdarshan
Original Sutra AuthorN/A
AuthorRajveer Shastri
PublisherDarshan Yog Mahavidyalay
Publication Year1999
Total Pages401
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy