SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તે દશ્ય મુક્ત પુરુપથી જુદા અમુક્ત પુરુપો પ્રત્યે સાધારણ= સમાન રૂપે બની રહેવાના કારણે નાશ નથી થતું. (આ જ વાતને વધારે સ્પષ્ટ કરવામાં આવે છે) સુરત - વિવેકગ્રાતિને પ્રાપ્ત પુરુષ પ્રત્યે દશ્યનો નાશનો પ્રસંગ પ્રાપ્ત થવા છતાં પણ મજુત્તિઅવિવેકી= બદ્ધ પુરુષો પ્રત્યે કૃતાર્થ પ્રયોજન સમાપ્ત નથી થયું. એટલા માટે એ બદ્ધ પુરુપોની ટ્રશેઃ = દર્શનક્રિયાના દશ્ય-કર્મ-વિષયતાને પ્રાપ્ત થાય છે. બીજા બદ્ધપુરુપોથી (અવશિષ્ટ કાર્ય રહેવાથી) દશ્ય માત્મપત્ર પોતાના સ્વરૂપને બનાવેલું જ રાખે છે. અને એટલા માટે વૃર્શનશાસ્ત્રો પુરુષ અને બુદ્ધિશક્તિઓના નિત્ય હોવાથી બંનેનો સંયોગ પ્રવાહથી અનાદિ કહેવામાં આવ્યો છે. અને એવું કહ્યું પણ છે – (ામનાદ્રિ) ધર્મીઓ પ્રકૃતિ તથા પુરુપનો અનાદિ 'સંયોગ હોવાના કારણે ધર્મો = પ્રકૃતિનાં કાર્ય બુદ્ધિ ઇત્યાદિનો પુરુષની સાથે સંયોગ પ્રવાહથી અનાદિ છે. ભાવાર્થ – ગયા સૂત્રોમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ દશ્ય સમસ્ત જગત પુરુષના ભોગ, અપવર્ગની સિદ્ધિને માટે છે અને જયારે કોઈ પુરુષનો ભોગ અને અપવર્ગ સિદ્ધ થઈ જાય છે. અર્થાત્ તે મોક્ષ પ્રાપ્ત કરી લે છે. ત્યારે શું દશ્ય નિપ્રયોજન થવાથી નાશ થઈ જાય છે? આ શંકાનું સમાધાન કરતાં સૂત્રકારે કહ્યું છે કે પુરુષ ચેતન જીવાત્મા અનંત (ઘણાં) છે તેમની મુક્તિ એક સાથે કદાપિ નથી થઈ શકતી. કોઈ એક અથવા ઘણાં પુરુષોનો યોગાભ્યાસ વગેરે કરવાથી વિવેકખ્યાતિથી મોક્ષ થતાં પણ દશ્યનું પ્રયોજન પૂરું કદાપિ નથી થઈ શકતું, કેમ કે આ દશ્ય જગત બધા જ આત્માઓને માટે છે. કોઈ વિશેષ (આત્માઓ) માટે નથી, જે અકુશળ પુરુષ મોક્ષના અધિકારી નથી, તેમના માટે દશ્યનું પ્રયોજન બનેલું જ રહે છે. જેમ સૃષ્ટિ-પ્રલયનો ક્રમ રાત-દિવસની માફક પ્રવાહથી અનાદિ ચાલતો રહે છે. તે જ રીતે જીવોનો જન્મ-મરણનો ક્રમ ચાલતો રહે છે. આ દશ્ય જગત, પ્રલયમાં પોતાના કારણમાં લીન થઈને સ્થિર રહે છે. અને સર્ગકાળમાં ફરીથી વ્યક્ત અવસ્થામાં આવી જાય છે. માટે આ દશ્ય અને પુરુષઃચેતન આત્માનો સંયોગનિત્યહોવાથી અનાદિ છે. અર્થાત એમ નથી કહી શકાતું કે કયારથી તેમનો સંયોગ શરૂ થયો છે. સંયોગ શબ્દથી પણ એ વાત સ્પષ્ટ છે કે દશ્ય અને દ્રષ્ટા પુરુષ બે જુદાં જુદાં તત્ત્વો છે. તેમનો કોઈક નિમિત્તથી સંયોગ થાય છે અને વિવેકખ્યાતિ થતાં સુધી એ ક્રમ ચાલતો રહે છે. અને પ્રલયકાળ અને મોક્ષમાં તેમનો સંયોગ નથી રહેતો. | ૨૨ છે હવે - દ્રષ્ટા અને દશ્યના સંયોગનું સ્વરૂપ કહેવાની ઈચ્છાથી આ સૂત્ર પ્રવૃત્ત થયું છે - स्वस्वामिशक्त्योः स्वरूपोपलब्धिहेतु : संयोगः ॥२३॥ સૂત્રાર્થ - (સ્વ-સ્વામશો ) “સ્વ' પદથી અહીં દશ્યનું તથા “સ્વામી' પદથી પુરુષઃચેતન આત્માનું ગ્રહણ છે. માટે દશ્ય-પ્રકૃતિ અને સ્વામી પુરુષ એ બંનેનાં ૧૭) યોગદર્શન For Private and Personal Use Only
SR No.020548
Book TitlePatanjal Yogdarshan
Original Sutra AuthorN/A
AuthorRajveer Shastri
PublisherDarshan Yog Mahavidyalay
Publication Year1999
Total Pages401
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy