SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અર્થાત્ ગુણોની ઉત્પત્તિ અથવા વિનાશના પ્રસંગમાં પણ એવું જ સમજવું જોઈએ. ગુણોની સ્વરૂપથી ન તો ઉત્પત્તિ છે કે ન તો વિનાશ થાય છે. - હવે અલિંગ-અવસ્થાવાળી પ્રકૃતિથી થનારી લિંગ આદિ અવસ્થાઓનો ક્રમ બતાવીએ છે ( ત્તિત્ર સ્થપ્રત્યાન્ન) લિંગમાત્ર=મહત્તત્ત્વ, અલિંગમાત્ર= પ્રકૃતિનું સૌથી નજીકનું કાર્ય છે. તત્ર = એ અલિંગમાં લિંગ = મહત્તત્ત્વ સંછ = મળેલું છે. તે અલિંગ લિંગરૂપથી જુદું છે. પ્રકૃતિના વિકાર ક્રમનું અતિક્રમણ ન કરવાથી. એ જ પ્રકારે છ વિશેષ = (શબ્દતન્માત્ર વગેરે) નિમત્ર = મહત્તત્ત્વથી સંસૃષ્ટ (મળેલું) = અવિભક્ત રહેતાં તેમનો જુદો વિભાગ પરિણામ પરંપરાના નિયમથી થાય છે. તે જ પ્રકારે તે છ અવિશેપોમાં (શબ્દતન્માત્ર આદિમાં) વિશેપ પાંચ પૃથ્વી આદિ ભૂત અને અગિયાર ઈદ્રિયો સંપુર્ણ = અવિભક્ત છે. તેમનો વિભાગ પૂર્વોક્ત પરિણામ પરંપરાના નિયમથી થાય છે. આ ભૂત-ઈદ્રિયો (વિશેપો)થી પરમ = પછીનું કોઈ બીજુ તત્ત્વ નથી. માટે વિશેપોનું કોઈ તત્ત્વ, પરિણામ નથી. તે વિશેપો (ભૂત તથા ઈદ્રિયો)નાં તો ધર્મપરિણામ, લક્ષણ પરિણામ, અને અવસ્થા પરિણામ જ હોય છે. તેમની વ્યાખ્યા (યો. ૩/૧૩)માં કરવામાં આવશે. ભાવાર્થ – આ સૂત્રમાં ત્રિગુણાત્મક પ્રકૃતિનાં વિભિન્ન કાર્યો બતાવવામાં આવ્યાં છે. આ સમસ્ત જગતનું મૂળ ઉપાદાન કારણ (Material cause) પ્રકૃતિ છે. પ્રકૃતિ કોઈનું પણ કાર્ય નથી. માટે એ નિત્ય છે. પ્રલય પછી સૃષ્ટિ – સમય પ્રારંભ થતાં જયારે મૂળ પ્રકૃતિમાં વિપમતા થઈને પ્રથમ કાર્ય ઉત્પન્ન થાય છે, તેને “મહત્તત્ત્વ' કહે છે, આ અલિંગ પ્રકૃતિની લિંગ = પ્રથમ વ્યકતાવસ્થા છે. (તેને બુદ્ધિ તત્ત્વ પણ કહે છે.) તેની પછી મહત્તત્ત્વથી જે અહંકાર, પાંચ તન્માત્રાઓ આદિ કાર્ય ઉત્પન્ન થાય છે, તેમને અહીં અવિશેષ' કહ્યાં છે. કેમ કે એમનામાં ગુણોનું શાન્ત, ઘોર તેમ જ મૂઢ રૂપ પ્રકટ નથી થતું. ત્યાર પછી વિશેપ-સ્તરનાં તત્ત્વ આકાશ આદિ ધૂળભૂત ઉત્પન્ન થાય છે. અહીં વ્યાસ-ભાગ્યમાં સૂત્રકારની શૈલીથી જ વ્યાખ્યા કરી છે. અર્થાત વિશેષની પ્રથમ વ્યાખ્યા કરીને ક્રમશઃ અલિંગ સુધી વ્યાખ્યા કરી છે. જોકે રચનાની દષ્ટિથી સૂક્ષ્મથી સ્થૂળ બનવાનો ક્રમ જ બતાવવો સંગત હોવો જોઈએ, તેમ છતાંય ક્રમ-વિપર્યય (ઊલટાવીને) કરીને સૂત્રમાં પ્રથમ સ્થૂળ તત્ત્વને રાખવાનું વિશેષ પ્રયોજન છે. સામાન્ય મનુષ્ય પહેલાં ધૂળને જ સમજી શકે છે. તેના પછી ક્રમથી સૂક્ષ્મ, વધારે સૂક્ષ્મ, સૌથી વધુ સૂક્ષ્મ તત્ત્વોને સમજી શકાય છે. વ્યાસ-ભાષ્યમાં આ ગુણોના પર્વ=વિભાગોનું સ્પષ્ટરૂપે વર્ણન કરવામાં આવ્યું છે અર્થાત અલિંગ પ્રકૃતિ એક અને નિત્ય છે. લિંગ = મહત્તત્ત્વ પ્રકૃતિનો પ્રથમ વ્યાપક વિકાર અને પોતાનાંમાંથી ઉત્પન્ન થનારાં કાર્યોનું કારણ પણ છે. આ મહત્તત્ત્વના શબ્દતન્માત્ર આદિ પાંચ અને અહંકાર છો, આ વિકાર છે અને એ પણ ઉત્પન્ન થવાથી કાર્ય છે તથા એ આગળનાં સ્થૂળ તત્ત્વોનું કારણ પણ છે. આ અવિશેષોનાં સોળ કાર્ય છે, ૧૬૪ યોગદર્શન For Private and Personal Use Only
SR No.020548
Book TitlePatanjal Yogdarshan
Original Sutra AuthorN/A
AuthorRajveer Shastri
PublisherDarshan Yog Mahavidyalay
Publication Year1999
Total Pages401
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy