________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અભ્યાસ સાધ્ય પરિ =ઉપાયોની પછી અપેક્ષા નથી કરતું. ભાવાર્થ-૩૪મા સૂત્રથી લઈને ૩૯મા સૂત્ર સુધી ચિત્તને સ્થિર કરવાના વિભિન્ન ઉપાયોનું કથન કર્યું છે. આ સૂત્રમાં તેમનું ફળ બતાવ્યું છે. અર્થાત્ જયારે ઉપર્યુક્ત ઉપાયોથી ચિત્ત એકાગ્ર થવા લાગે છે, ત્યારે યોગી સૂક્ષ્મથી સૂક્ષ્મ (પરમાણુ પર્યન્ત) અને મહાનથી મહાન લૌકિક પદાર્થોમાં (આકાશ પર્યન્ત) પણ પોતાના મનને એકાગ્ર કરવાનું સામર્થ્ય પ્રાપ્ત કરી લે છે. તે પદાર્થોને જાણી પણ શકે છે. અને એવો યોગી સૂક્ષ્મથી સૂક્ષ્મ ગહન વિષયોમાં ચિત્તને સ્વેચ્છાથી લગાવીને તેમનું જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. આ સ્થિતિને પ્રાપ્ત કર્યા પછી ચિત્તને એકાગ્ર કરવા માટે બીજા કોઈ ઉપાયની આવશ્યકતા રહેતી નથી,
આ ચિત્ત-એકાગ્રતાની દશાને પ્રાપ્ત કર્યા પછી શું સ્થિતિ થાય છે. (હોય છે, તેનું વર્ણન આગળના સૂત્રમાં કર્યું છે. ૪૦ છે સંપ્રજ્ઞાતસમાધિનું સ્વરૂપ હવે - (ચિત્તના પરિકર્મોથી) સ્થિરતાને પ્રાપ્ત થયેલા ચિત્તની સમાપત્તિ ધ્યેય વિષયમાં તદાકાર પ્રતીતિ કેવા સ્વરૂપવાળી તથા કયા વિષયની હોય છે?
क्षीणवृत्तेरभिजातस्येव मणेर्ग्रहीतृग्रहणग्राह्येषु
तत्स्थतदञ्जनता समापत्तिः ॥४१॥ સત્રાર્થ - (અભિજ્ઞાતæ મળે રૂવ) સ્વચ્છ=નિર્મળ સ્ફટિકના સમાન (હળવૃત્તે ) જે ચિત્તની રાજસ તથા તામસ વૃત્તિઓ ક્ષીણ થઈ ગઈ છે, તેની પ્રદીતૃપ્રદ - gિ) ગ્રહીતા જીવાત્મા, ગ્રહણ=ઈદ્રિય, તથા ગ્રાહ્ય=ઘૂળ તથા સૂક્ષ્મ ધ્યેય પદાર્થોમાં (તસ્થ તત્ઝનતા) સ્થિર થઈને તેના જેવી જ = તત્તદાકાર પ્રતીતિ થાય છે. તેને સંપત્તિ ) સમાપત્તિ કહે છે. ભાપ્ય અનુવાદ-(ક્ષણવૃત્ત) સૂત્ર પઠિત આ પદનો અર્થ છે કે જે ચિત્તની પ્રત્યય રાજસ તથા તામસ વૃત્તિઓ મત=શાન્ત થઈ ગઈ છે. તે ચિત્તને માટે મનાત મf=નિર્મળ
સ્ફટિકના સમાન દષ્ટાન્ત સૂત્રકારે આપ્યું છે. (સાત્તિ.) જેમ શુદ્ધ સ્ફટિક નજીકના ભિન્નભિન્ન પદાર્થોના આશ્રયથી તે તે પદાર્થોથી ૩૫રzzતત્તદાકાર (તેના જેવું) થઈને નજીકના પદાર્થોના આકારવાળું પ્રતીત થાય છે. તે જ રીતે ચિત્ત પ્રાઈં-ગ્રહણ કરવું ધ્યેય પદાર્થોનું (ગંધ આદિ) વિષયોના આલંબનથી પરવત્ત=લગાવ રાખતું ગ્રાહ્યની સાથે તદાકારતાને (તેના જેવા આકારને) પ્રાપ્ત થઈ ગ્રાહ્યના સ્વરૂપના સમાન દેખાય છે. તથા ઉદાહરણ સ્વરૂપ સૂક્ષ્મપૂd=પાંચ તન્માત્રાઓથી ઉપરંજિત (રંગાયેલું) ચિત્ત સૂક્ષ્મભૂતોના આકારવાળું થઈને સૂક્ષ્મભૂતોના સ્વરૂપ જેવું દેખાય છે. તથા=અને સ્થ7=પાંચ મહાભૂતો (આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી)થી ઉપરંજિત (રંગાયેલુ) ચિત્ત ધૂળ ભૂતોના આકારવાળું થઈને ધૂળ ભૂતોના સ્વરૂપ જેવું દેખાય છે. તથા=અને તે જ પ્રકારે વિશ્વ સમસ્ત ઘટ પટ આદિ વસ્તુઓથી ઉપરંજિત (રંગાયેલું) ચિત્ત વિશ્વમે-ઘટપટ ૧૦૪
યોગદર્શન
For Private and Personal Use Only