________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તમારા જેવામાં પણ થોડાઘણું ગુજરાતી ગ્રંથ આવ્યા છે, તેથી ગુજરાતી વાકેફ છે તે પણ જારે ગદ્યમાં સંસારનીતિ ભકિત યુદ્ધ સિવાએ બીજી બાબ અને એ જ પ્રકરણમાં અને બીજામાં શાસ્ત્રીય રીતે લખીયે છે; અથવા પ્રૌઢ તિ અંગ્રેજી ઉપરથી યથાસ્થિત (ભાવાર્થ નહિં) ભાષાન્તર કરી છે, તે વેળા ગુજરાતી ભાષાના શબ્દની દરિદ્રતાને નામે રડિયે છે. તેને અનુભવ હમારા વર્ગી વન બીજાને કેમ આવવાને? કહેવા કરતાં કરવું અઘરું છે. અંગ્રેજી કવિઓના વિચારને સંસ્કૃત કવિએના વિચાર જેવા જેવા શબ્દોમાં યોગ્ય સંપૂર્ણ રહેલા છે, તેવા શબ્દો ગુજરાતીમાં મળવા મુશ્કેલ છે.
-નર્મદાશંકર
અંગ્રેજી વિદ્યાના પ્રતાપે આપણા દેશમાં હજારો નવા વિચારને તથા નવી લાગણી એને જન્મ આપ્યો છે. તેમને સમાવેશ સાંકડી ગુજરાતીમાં થઈ શકતું નથી, તેથી તે નિરૂપાય થઈ સંસ્કૃત અને ફારસી ભાષાના અણહદ મેદાનમાં જઈ વિશ્રામઠામની યાચના કરે છે.......જેમ જેમ દેશમાં નવા વિચારો ખલ થતા જવાના તેમ તેમ નવા શબ્દો ભાષામાં પ્રવેશ કરતા જવાના.
–નવલરામ
જીવનના સામાન્ય ઉદેશને ગુજરાતી ભાષા સંતોષી શકે એમ છે, પરંતુ ગુજરાતી પ્રજાનું જીવન જેમ જેમ ઉચ્ચ થતું જાય છે તેમ તેમ ગુજરાતી ભાષા એવો ઉચ્ચ સંતોષ આપવાને અસમર્થ જણાય છે, અને તત્ત્વજ્ઞાન, વિજ્ઞાન, ઇતિહાસ, રાજનીતિ, અર્થશાઆદિ નવીન ઊગેલી અને દિનપ્રતિદિન વૃદ્ધિ પામતી વિદ્યાઓને તૃપ્ત કરવાને એ તદન અશક્ત નીવડી છે.
–કેશવલાલ ધ્રુવ
For Private and Personal Use Only