________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૪૪) પછી તે પાણીમાં પંદર રૂપિયા ભાર ગોળ મેળવી ચૂલા ઉપર મૂકી ઉભું કરવું, અને તેમાં ઉપરનાં વડાં અને એક રૂપિયા ભાર મીઠું નાખી પંચામૃત થાય એટલે નીચે ઉતારવું; અને તેમાં બે રૂપિયા ભાર ઘી, એક રૂપિયા ભાર અડદની દાળ, બે માસા જીરૂ, ત્રણ માસા રાઈ એક માસો મેથી, ત્રણ લીલાં મરચાંના કકડા અને એક માસે હિંગ, એને વઘાર કરે, અને તે હલાવી ઉપયોગમાં લેવું.
૪. કેરીનું પંચામૃત. સામાન અને કરવાની રીત ઉપર પ્રમાણે જાણવી. માત્ર વડાને બદલે દસ કેરીને છોલી નાખી તેના ઝીણા ઝીણા કકડા કરી તે, ગાળ આમલીમાં નાખવા. આ રીય–દસ કેરીને બદલે ત્રણ કાકડી લઈ તેનું પણ ઉપર પ્રમાણે પંચામૃત કરવામાં આવે છે.
પ. પંચામૃત
(તંજાવરી રીત). ૬ રૂ. ભાર લીલાં મરચાં. ૬ રૂ. ભાર મીઠું તેલ. ૮ રૂ. ભાર આમલી.
લા રૂ. ભાર ગેળ. ૮ માસા મીઠું.
૧ રૂ. ભાર અડદની દાળ, ૨ માસા રાઈ.
૧ રૂ. ભાર ઘી. ૧ રૂ. ભાર અડદની દાળ, ૧ માસે મેથી. ૨ માસા રાઈ.
૧ માસ હિગ. ૧ મીઠા લિંબડાની ડાંખળી. સવાછ રૂપિયા ભાર લીલાં મરચાં દીટાંથી મધ્ય ભાગ સૂધી ઊભાં ચીરી તેને સવાછ રૂપિયા ભાર તેલમાં તળી રાખવાં. પછી
૨ માંગાય ગૉg (મદ્રાસ).
For Private and Personal Use Only