________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૨) બે કલાક સૂધી તેમને તેમાં રહેવા દેવું. પછી એક પચીસ રૂપિયા ભાર દાળનું ઓસામણ એક બીજા વાસણમાં હળ-. વેથી રેડવું. એક રૂપિયા ભાર મરી, છ માસા સૂકા મરચાં અને ચાર માસા જીરૂં, એટલી ચીજો ઘીમાં તળી નિસા ઉપર જાડી વાટી ઉપરના ઓસામણમાં ચળવી. આઠ માસા મીઠા લિંબડાનાં પાંદડાં, બે માસા હિંગ અને છ રૂપિયા ભાર આમલી પચીસ રૂપિયા ભાર પાણીમાં ચાળી તેનું પાણી અને ત્રણ માસા મીઠું ઉપરના ઓસામણમાં નાખવું, પાછી ઓસામણવાળું વાસણ ચૂલા ઉપર મૂકી નીચે સારે તાપ કરે, અને ચાર ઉભરા આવ્યા પછી કડછી તપાવી તેમાં ત્રણ રૂપિયા ભાર ઘી નાખી, તે કકડે. એટલે તેમાં આઠ માસા રાઈ, અને ચાર માસા મીઠા લિંબડાનાં પાંદડાં નાખી, વઘાર થાય એટલે ઉપરના સારમાં તે વઘાર કરે. પછી તેમાં દેઢ રૂપિયા ભાર કેથમીર નાખી વાસણ નીચે ઉતારવું.
૯. સિસાર, (કરી પાળતી વખતે લેવાને સાર.) ૪ માસા સૂકાં મરચાં. ૮ માસા મરી. ૪ માસા જીરૂં.
૪ માસા લસણ. ૨ માસા મીઠા લિંબ- ૧ રૂ. ભાર મીઠું.
ડાનાં પાંદડાં. એકસો પચીસ રૂપિયા ભાર પાણીમાં ચાર માસા સૂકાં મરચાં અડધાપડધાં શેકી બારિક વાટીને ચેળવાં. આઠ માસા મરી અને ચાર માસા જીરૂ એને ભરડે, તથા ચાર માસા લસણ અને બે માસા મીઠા લિબડાનાં પાંદડાં એને જરાક ફૂટી તે, તથા દોઢ રૂપિયા ભાર મીઠું, એ સર્વ જણસે ઉપરના સારમાં ચળી ચૂલા ઉપર મૂકી એક ઉભરો આવે એટલે નીચે ઉતાર.
For Private and Personal Use Only