________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
प्रास्ताविक
श्रीमुनिसुव्रतस्वामि
चरितम्
જ્યોતિષ, વૈદ્યક આદિના કેટલાક અનુભવો પણ પ્રાસ્તાવિક વર્ણનોમાં આલેખ્યાં છે. 'સાધર્મિક--બધુના વાત્સલ્ય અને ભક્તિ અંગેનું તેઓશ્રીનું વિધાન, આજના સમયમાં વિશેષ રીતે ખૂબજ ઉપકારક છે.
શ્રીમુનિસુવ્રતસ્વામી ભગવંતના જીવનને અનુલક્ષીને રચાયેલાં, પ્રસ્તુત ચરિત્રથી ઈતર, નીચે મુજબ ગ્રન્થકારોના ચરિત્રો પ્રાપ્ત થાય છે. આ ચરિત્રોનું તુલનાત્મક અન્વેષણ, તે તે ચરિત્ર ગ્રન્થોના વિશિષ્ટ અધ્યયન અને પરિશીલન દ્વારા અમે કરી શક્યા નથી. પ્રસ્તુત ચરિત્ર આમાંથી કોની સાથે વધારે સામ્ય ધરાવે છે, તે કહેવાની સ્થિતિમાં આજે અમે નથી. શ્રી મુનિસુવ્રતસ્વામીચરિત્રના ચળ્યો નીચે મુજબ હાલ ઉપલબ્ધ થાય છે.
૧ કલિકાલસર્વશ્રી હેમચન્દ્રાચાર્યવિરચિત ત્રિષષ્ટિશલાકાપુરૂષચરિત્રાન્તર્ગત. ૨ ચન્દ્રકુલના વિબુધપ્રભના શિષ્ય શ્રીપદ્મપ્રભપ્રણીત રચના સંવત્ ૧૨૯૪, ૫૫૫૫ લોકપ્રમાણ.
૩ હર્ષપુરીયગચ્છીયમલધારી શ્રી હેમચન્દ્રસૂરિશિષ્ય શ્રીચન્દ્રસૂરિવિરચિત. પ્રાકૃતભાષામય ૧૦૯૯૪ ગાથા પ્રમાણ આ ચરિત્ર, વિ. સં. ૧૧૯૩ માં આસાપલ્લિપુરી (વર્તમાન અમદાવાદ)માં, શ્રીમાલકુલના શ્રેષ્ઠશ્રાવક શ્રેષ્ઠિ નાગિલના સુપુત્રોના ઘરમાં નિવાસ કરીને રચ્યું હતું. (પાટણ જૈન ભંડાર ચન્થસૂચી. ભાવ ૧ પૃ૦ ૨૧૯)
૪ અમમસ્વામીચરિત્ર આદિ ગ્રન્થોના કર્તા પૂણિમાગચ્છીય શ્રીમુનિરસૂરિકૃતિ, સંસ્કૃત ભાષામય ૬૮૦૬ શ્લોક સંખ્યા પ્રમાણ આ ગ્રન્થ આઠ સર્ગમાં વિભક્ત છે. પ્રત્યેક સર્ગ અનુટુપ છન્દ્રમાં છે. સર્ગના અન્તમાં અન્ય ઇન્દનો ઉપયોગ કર્યો છે, સગને પ્રત્યેક શ્લોકમાં, ગ્રન્થકર્તાએ પોતાના નામનિર્દેશ કરવારૂપ “વિનય’ શબ્દનો પ્રયોગ કર્યો છે. મતલબ કે કાવ્ય “વિનયાહુ છે. આ એક ચરિત્રવર્ણનાત્મક મહાકાવ્ય છે, મહાકાવ્યમાં હોવા જોઈતાં અનેક લક્ષણો આ કાવ્યમાં પણ દષ્ટિગોચર થાય છે. કાવ્યના લક્ષણ અંગે, કાવ્યશાસ્ત્રના વિદ્વાનોમાં સતત મતભેદ ચાલે છે. ‘ચં સામર્દ વાક્ય” એ મત ઘણા વિદ્વાનોને સંમત છે.
१ चके तेन जिनार्चनं स विदधे सम्यगगुरूपासनं, तत्त्वं तेन जिनागमस्य कलितं, सोकति स व्यधात् । सत्यङ्कारितमेव तेन सुधिया | निर्वाणस्वर्गाद्भुतं, यः साधर्मिकगौरवं वितनुते हृष्टो गुरूणामिव ॥ (प्रस्तुतचरित्र, सर्ग २, श्लो०६०३) सार्मिकं हि यत् क्षेत्रं, सप्तक्षेत्र्यां વિરોદવસે . (૨, ડો. ૬ )
For Private and Personal Use Only