SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્વતંત્ર સંસ્થાન મુકતાખીરખાનની સુબાગીરી અને અમદાવાદ છેડી ખંભાત આવવું એ જ વર્ષ (૧૭૪૩)ના પાછલા ભાગમાં બાદશાહને ખબર પડી કે જુન્નારનો અબદુલ અઝીઝખાન નામને માણસ ખોટી રીતે સુબો થઈને બેઠે છે. તેથી બાદશાહે મુક્તાખીરખાન ઉપર ફરમાન મોકલ્યું અને એને ગુજરાતને સત્તાવનમો સુબો નીમ્યો. એ પહેલાં મુફતાખીરખાન અને ફિદાઉદ્દીનખાનને પોતાના લશ્કરીઓના પગાર ચઢી ગયેલા હતા તેથી તેમની સ્થિતિ કફેડી થતાં જવાંમર્દખાન બાબીએ શહેર (અમદાવાદ)ને કબજે લીધેલ તેથી તે બંને વચ્ચે અણબનાવ થએલ. જ્યારે બાદશાહી ફરમાન મુફતાખીરખાનને સુબાગીરી માટેનું આવ્યું ત્યારે એણે જવાંમર્દખાનને નાયબ સુબે બનાવવા કહ્યું. આ વખતે જવાંમર્દખાન એટલો સત્તાવાળા હતા કે મુકતાખીરખાનથી એની સામે લડી શકાય તેમ હતું નહિ. આ ખટપટમાં છેવટે જવાંમર્દખાને મુફતાખીરખાનના ઘરને ઘેરો ઘાલ્યો અને મુફતા ખીરખાનને નીકળીને ખંભાત નાસી જઈ રંગેજીને મળવું પડયું. રંગેજીએ ખંભાતમાંથી લીધેલી રકમ ઈ.સ. ૧૭૪૪માં મરાઠાઓએ અમદાવાદમાં પિતાની ગએલી સત્તા પાછી લેવા નિશ્ચય કર્યો અને લશ્કર મોકલ્યું. એ વખતે રંગછ પેટલાદ હતો. ફિદાઉદ્દીનખાને રંગેજીને મુફતાખીરખાનને મદદ કરવા કહ્યું. રંગેજી પાસે પૈસા નહોતા. તેથી બંને જણ મુફતાખીરખાન પાસે ખંભાત ગયા. રંગેજીને એક લાખ રૂપિયાની જરૂર હતી. મુફતાખીરખાને બહુ મહેનતે ૮૦,૦૦૦ રૂપિયા ઉભા કર્યા, અને રંગેજીના નાયબને ભાગને વહીવટ કરવા રજા આપી. રંગેજીએ બાકીના વીસ હજાર મળ્યા પછી મદદ કરવા જષ્ણુવ્યું તેથી ફિદાઉદ્દીનખાન નિરાશ થઈને દહેવાણ જઈને રહ્યા.મુકતાખીરખાનને આ રીતે પાંચ વર્ષ ખંભાતમાં રહેવું પડયું. તે દરમ્યાન વારંવાર અમદાવાદ લઈ સુબાગીરીને હેદ્દો સંભાળવા વિચાર કર્યા પણ તેમાં સફળતા મળી નહિ.૧૦ નજમખાનને વહીવટ અને ખંભાતની સ્થિતિ આ બધા વખત દરમ્યાન (ઈ.સ. ૧૭૩૭થી ૧૭૪૮) અગિયાર વર્ષ સુધી નજમખાને ખંભાતનો રાજવહીવટ સંભાળ્યો હતો. સમયની સામાન્ય અશાંતિને લીધે જોકે વેપાર ઓછો થતો હતો છતાં પણ નજમખાનના વહીવટમાં ખંભાતની સ્થિતિ સારી થઈ હતી. મામીનખાન પહેલાનાં છેવટનાં વર્ષોમાં બંદર અને શહેરને કાંઈ હરક્ત આવી નહોતી. તે પછી ખંભાત ઉપર મરાઠાઓની માગણી ૭ Bom. Gaz. I. I. P. 327. ૮ Bom. Gaz. I. I. P. 327. ૯ એ જ પૃ. ૩૨૭ Bom. Gaz. VI. ખંભાતના વૃત્તાંતને લેખક સુરતની અંગ્રેજોની ડાયરીના આધારે લખે છે કે રંગજીએ આ મસલત ઉપરાંત ખંભાતના ગાયકવાડના ભાગના અરધા રૂપિયા માગ્યા. (રૂ.૮૦,૦૦૦)અને મુફતાખીરખાને ના પાડી તેથી ૨૦.૦૦૦નું લશ્કર લઈ ખંભાત ઉપર ચઢી આવ્યું. તેથી તેની માગણી મુજબ રૂપિયા આપવા પડથા. આ વખતે અંગ્રેજી કેડીના માણસોએ નવાબને મદદ કરી. આના વેરમાં મરાઠાઓએ નવાબનાં જે માણસ બહાર આવ્યાં તેમનાં નાક કાપી લીધાં. Bom. Gaz, VI. 223. Note 3. 9. Bom. Gaz. VI. P. 224. For Private and Personal Use Only
SR No.020443
Book TitleKhambhatno Itihas
Original Sutra AuthorN/A
AuthorRatnamanirao Bhimrao
PublisherDilavarjung Nawab Mirza
Publication Year1935
Total Pages329
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy