SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મુસલમાન સમય ૪૧ ૧૩૪૭માં પાટણ આવ્યો, અને ત્યાંથી ભરૂચ પાસે નર્મદાકિનારે પડાવ નાખ્યો. આ વખતે ખંભાત અને ભરૂચની મહેસુલ ઘણાં વરસથી ચઢી ગએલી હતી તે બાદશાહનાં માણસેએ સખ્ત રીતે વસુલ કરી અને ખંભાતના અખાતમાં આવેલા પીરમ બેટના મોખડાજી ગોહેલને હરાવ્યો. આટલી વ્યવસ્થા કરીને બાદશાહ દક્ષિણમાં દેવગઢ ગયો. પણ એટલામાં મલીક તુઘાન જેને તાધી નામથી ઓળખવામાં આવે છે એણે બળવો કર્યો, પાટણના બાદશાહી સુબા મુઇઝુદ્દીનને કેદ કર્યો, ખંભાત લૂંટયું, અને ભરૂચને ઘેરો ઘાલ્યો. બાદશાહને આ સમાચાર મળતાં દેવગઢથી લશ્કર મોકલ્યું અને પિતે પણ ભરૂચ તરફ ધસ્યો. સુલતાનના આવવાની ખબર સાંભળી તાઘી ખંભાત આવ્યો. મુહમ્મદ તઘલકે આ ઉપરથી બે હજાર ઘોડેસવારના લશ્કરને મલીક યુસુફ બઘડાની સરદારી નીચે ખંભાત ઉપર મોકલ્યું. ખંભાત પાસે ભારે લઢાઈ થઈ એમાં બાદશાહી લશ્કર હાર્યું અને ભરૂચ બાજુ નાઠું. એ ખબર સાંભળી સુલતાન પતે ખંભાત તરફ આવ્યો અને તાઘીને એ સમાચાર મળતાં ખંભાત છડી આશાવળ (અમદાવાદ) ગયો." ઝફરખાન અને ખંભાત આ બનાવ પછી સુલતાન મુહમ્મદ તઘલક બીજાના સમયમાં ઝફરખાન સુબાના અમલ સુધીમાં ખંભાતના ઇતિહાસને લગતો કાંઈ બનાવ બન્યો નથી. એ વખતે (ઈ.સ. ૧૩૯૧) ફરહત ઉલ મુલ્ક રાસ્તીખાન ગુજરાતને સુબો હતો. એના અમલથી લોક ઘણું કંટાળી ગયા હતા. જ્યારે ઝફરખાનની ગૂજરાતની સુબેદારી ઉપર નીમણુક થઈ ત્યારે રાસ્તીખાન પાસેથી હોદ્દો સંભાળી લેવા એ આવત હતું, ત્યાં નાગોર મુકામે ખંભાતના અગ્રેસર વેપારીઓનું મંડળ એને રાસ્તીખાનના જુલમો બાબત ફરિયાદ કરવા આવ્યું. ઝફરખાને વેપારીઓની ફરિયાદ ધ્યાનમાં લેવા વચન આપ્યું. રાસ્તીખાનના લશ્કરને પાટણ પાસે કઈ ગામ પાસે હરાવી ઝફરખાન બીન વજઉલમુલ્ક ખંભાત આવ્યા અને વેપારીઓને સંતોષ આપે. હોદ્દા ઉપર રહેલા સુબાની વિરૂદ્ધ ફરિયાદ કરવા ખંભાતના વેપારીઓ નવા નીમાએલા સુબા પાસે જાય એ ખંભાતના વેપારી મહાજનનું એ સમયમાં મોટું મહત્ત્વ બતાવે છે અને ગુજરાતનાં બધાં શહેરોમાં ખંભાતની મહત્તા પણ વ્યક્ત કરે છે. ગૂજરાત આખું ખંભાતને નામે ઓળખાય છે. તઝીયતુલ અસારને લેખક ઈ.સ. (૧૩૦૦-૧૭૨૮) એ સમયમાં લખે છે કે “ગૂજરાત કે જે ખંભાતનું રાજ્ય કહેવાય છે તેમાં સિત્તેર હજાર ગામ છે. ગામડાં અને શહેરો બધું સમૃદ્ધ અને મેજમજાહના સ્થાન રૂપ છે.” એણે ગૂજરાતનું લાંબુ અને ઉત્તમ વર્ણન કર્યું છે અને તે ખંભાતને ૪ તારીખે ફીરોઝશાહીઃ-llliot all. 256-57. ૫ તારીખે ફીરેઝશાહી lliot III. 258-260. ઈ.સ. ૧૩૮૭માં સુલતાન ફીરોઝશાહે શાહજાદા નસીરૂદીન મુહમ્મદશાહને ગાદી આપી ત્યારે ગુજરાતના સુબા સિકંદરખાનને ખંભાતના અમીર મુફારી-Mufarrih-એ બીજા અમીરે સાથે મળી બળ કરી મારી નાખ્યો એવા સમાચાર બાદશાહને મળ્યા હતા. જુઓ તારીખે મુબારકશાહી Illiot IV. 16. યહયા બીન અહેમદ ની. $ Mirat-i-Sikandari: -Bayley's Tr. P. 74. For Private and Personal Use Only
SR No.020443
Book TitleKhambhatno Itihas
Original Sutra AuthorN/A
AuthorRatnamanirao Bhimrao
PublisherDilavarjung Nawab Mirza
Publication Year1935
Total Pages329
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy