SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૨૮ પરિશિષ્ટ ૩ છે તે ધ્યાનમાં લેતાં, હાટકેશ્વરક્ષેત્ર સરસ્વતી-સમુદ્રસંગમની આસપાસ કોઈ સ્થળે હોવાનું સ્પષ્ટ થાય છે; અને દેએ બે વખત એનો નાશ કર્યાનું આગળ જોયું. એમ એ ક્ષેત્રના મૂળ સ્થાનને નાશ થયો અને સરસ્વતીના મુખની ખરી પરંપરા ભૂલાઈ પ્રભાસને અડોઅડ મુકાઈ, તે સાથે હાટકેશ્વરક્ષેત્ર પણ પુરાણકારોએ અનેક જગ્યાએ મૂકયું એમ સંભવે છે.૪૮ ગમેતેમ પણ આ ઉલેખે હાટકેશ્વરક્ષેત્રને વડનગર પાસે નહિ પણ ગૂજરાતના કિનારા પાસે હતું એટલે તે બતાવે છે. એને એક બીજો આડકતરે પુરાવા મળે છે. પુરાણકારો પાતાલ ભૂમિ ઉપર છે છતાં એને એની અંદર નાખે છે તેમ વડવામુખ પણ સમુદ્રમાં ઘણે છેટે મૂકે છે. પરંતુ પરંપરાને ખરા રૂપમાં જનાર ખાળવે ના વરાહમિહિર વડવામુખને ભારતની નૈઋત્યનો દેશ વિશેષ કહે છે.૪૯ સરસ્વતી વડવાનલને લઈને આવી અને સમુદ્રમાં નાખે એમ કથા છે; અને તે જગ્યાએ વડવામુખ એ વાત વરાહમિહિરના વડવામુખ સાથે બરાબર બંધ બેસે છે. હવે વડવાનલનો પર્યાય ઔર્વાનલ છે અને ઔર્વાનલ સાથે પણ સરસ્વતીની એ જાતની જ કથા છે.૫૦ આ ઑનલને પર્યાય પાતાલ છે. કોઈ કોષ તો વડવાનલને જ પર્યાય પાતાલ આપે છે.૫૧ એ રીતે પણુ વડવામુખ એ પાતાલ એમ ઠરે છે. એટલે હાટકેશ્વરક્ષેત્ર, આનર્ત દેશ, વડવામુખ એ બધા યોગથી પાતાલ અથવા એને ભાગ ગૂજરાત કાઠીઆવાડ-કચ્છના કિનારે કહી શકાય. વિશેષમાં પાતાલવાસી નાગનાં નવ કુલ કેષકારો ગણાવે છે તેમ વિષના પણ નવ પ્રકાર ગણાવે છે. આમાં કેટલાંકનાં નામ સમજાતાં નથી. પરંતુ એમાં બે જાતનાં વિષનાં નામ પ્રદેશને લગતાં છે. એક સૌરાષ્ટ્રિક અને બીજું દરદ, સૌરાષ્ટ્રિક એટલે સૌરાષ્ટ્રનું અને દારદ એ દક્ષિણ બલુચિસ્તાનને ભાગ છે. નાગની પેઠે વિષ પણુ પાતાલનાં ગણવાનો રિવાજ છે. એટલે આ નામો પણ બલુચિસ્તાનથી ગુજરાતને કિનારે નિર્દેશ કરે છે.પર વધારામાં સિદ્ધ નાગાર્જુને રસસિદ્ધિને માટે પાતાલમાં વાસ કરેલો અને વાસુકિ નાગે માળા આપેલી એવી કથા છે. જૈન કથા પ્રમાણે નાગાજીને પાદલિપ્તાચાર્યને સમકાલિન અને રસસિદ્ધિ માટે એમની પાસે રહ્યાનો ઉલ્લેખ છે. એટલે શત્રુંજય-પાલિતાણુ પાસે એ રહેલો હોવો જોઇએ. તંભનપાર્શ્વનાથની કથામાં નાગાર્જુન સ્તંભનપુર–શેઢી નદીને કિનારે રસનું સ્તંભન કરે છે એમ લખેલું છે. એટલે રસસિદ્ધિ માટે નાગાર્જુન પાતાલમાં આવ્યું તે ગુજરાતને કિનારે આવ્યો એમ કહી શકાય.૫૩ સાત પાતાલમાં હાટકેશ્વરક્ષેત્રનું માત્ર એક વિતલ પાતાલ કહેલું છે.પ૪ એટલે ગુજરાતને કિનારે અગર ૪૮ એક વડનગર પાસે,બીજું ગુપ્તક્ષેત્ર ખંભાતમાં, ત્રીજું પ્રભાસક્ષેત્રમાં, કેઈ એ ક્ષેત્રને દક્ષિણમાં પણ લઈ જાય છે. મૂળ હાટકે શ્વક્ષેત્ર જેકે કિનારાના ભાગમાં હશે એમ સ્પષ્ટ થવા છતાં તદ્દન ચોક્કસ સ્થળનિર્ણય થઈ શકતો નથી. ખંભાતના અખાતના મૂળ પાસે ગોપનાથ કે એવી જગ્યાના કિનારા પાસે મૂળ એ ક્ષેત્ર હોય કે અખાતના કિનારા ઉપર પણ હોય. ૪૯ વરાહમિહિર-બૃહતસંહિતા, અ. ૧૪. નક્ષત્ર કૂર્મ વિભાગ. ૫૦ વડવાનલ અને આનલ સરસ્વતીને લગતી કથા માટે જુઓ રકં. પુ. પ્રભાસખંડ. ૫૧ અમરકેષનાનાર્થ વર્ગ. વન પાતારમ્ . એને વડવાનલ સાથે સંબંધ છે. મેદિનીમાં કહે છે કે તારું નાદ્દિવરે વરવાન | આમ પાતાલ નાગલોક વિવર વડવાનલ બધા પર્યાય છે. પર અમરકેષ: પાતાલવર્ગ. દારદને માટે ટીકામાં લખે છે કે તારો વિષમે – વાવે હિંગુ ઘુમાન એટલે પારત અગર હિગુલ દેશ-દક્ષિણ બલુચિસ્તાનને કિનારે વ્યક્ત થાય છે. પ૩ આ કથા આગળ “અભિધાન’ પ્રકરણમાં જોઈ ગયા છીએ. પ્રભાવક ચરિત્ર અભયદેવ પ્રબંધ. અને તીર્થક૫માં એ વિષે હકીકત મળે છે અને બીજું જૈન લખાણમાં પણ મળે છે. ૫૪ જુઓ ભાગવતને ઉપરોક્ત ઉલ્લેખ, અને પૈરાણિક કથાકેષમાં હાટકેશ્વર શબ્દ. આ ઉપરથી સમજાશે કે પાતાલના મોટા અને અનિશ્ચિત (Vague) વિસ્તારમાં હાટકેશ્વક્ષેત્ર અથવા ગુજરાતને કિનારે એ એક માત્ર ભાગ છે. For Private and Personal Use Only
SR No.020443
Book TitleKhambhatno Itihas
Original Sutra AuthorN/A
AuthorRatnamanirao Bhimrao
PublisherDilavarjung Nawab Mirza
Publication Year1935
Total Pages329
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy