SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પરિશિષ્ટ ૩ ૨૨૧ સમયમાં ગોઠવાયા તે પહેલાં ઘણા પ્રાચીન સમયથી પાતાલ આબાદ હતું એટલે વેદના “નીઓ’ દેશને પુરાણો એ દેશના કેન્દ્રસ્થળ સાથે યોજે એ સ્વાભાવિક છે. આર્ય–અસુર–અને દાસ એ જતિઓનું મિશ્રણ ઓળખાય નહિ એવી રીતે થઈ ગયા પછી, એ ત્રણેમાં સર્વોપરી આર્ય સંસ્કૃતિનાં ગુણગાન ગાનાર પુરાણકારોને અસુરે અને નાગોનું પાતાલ મધ્ય દેશમાંથી અધઃ-નીચે લાગે. સમય જતાં આ પરંપરા એટલી બધી ઝાંખી થઈ ગઈ કે અસુરે માણસ મટી ભયંકર પ્રાણી થઈ ગયા; નાગલોક પેટે ચાલનારા તે જ નામનાં પ્રાણીઓ થઈ ગયા, એટલે એમનું રહેઠાણ પાતાલ એ રાફડા કે કાણાંનું પર્યાય બની ભૂમિના પડની નીચે જતું રહ્યું. પાતાલ સંબંધીના પૌરાણિક ઉલેખોમાં અને વર્ણનમાં “ધરાતલે,” “મહીતલે” વગેરે શબ્દો વાપરેલા છે.૧૯ એમાં “તને અર્થે પૃથ્વીના તલની અંદર એવો શા કારણથી કરાય છે તે સમજાતું નથી. ‘તલ” શબ્દનો અર્થ સપાટી ઉપર એવો કેમ ન કરો ? “કરતલે” એનો અર્થ હથેલીમાં–હથેલીની ઉપર એવો કરીએ છીએ, હથેલીની ચામડીની નીચે એવો નથી કરતા. તે પછી ધરા-કે મહી કે પૃથ્વી ‘તલે’ને અર્થ પણ પૃથ્વીના તલની ઉપર એમ સાદો ને સરળ કેમ ન થાય? બીજું એ પણ ધ્યાનમાં લેવા જેવું છે કે દરેક પુરાણ પ્રમાણે સાતે પાતાલોમાં થઈને દાનવ-દૈત્ય-અસુર, સુરભી, નાગલોક, સુપર્ણ ગરુડ પક્ષીઓ વગેરે રહે છે.૨૦ એટલે સવાલ એટલે જ થાય છે કે નાગ કાણાંમાંથી ભૂ શકે પરંતુ આ બીજા બધા શી રીતે રહ્યા ? એટલે પાતાલ ભૂમિના ગર્ભમાં નથી અને નાગક તે પેટે. ચાલનારા નાગ નથી. પાતાલ ભૂમિ ઉપરનો ભાગ છે. સાસપાતાલ પાતાલ સાત કહેલાં છે. અતલ, વિતલ, નિતલ, ગભક્તિમત, મહાતલ, સુતલ, અને રસાતલ; આ બધાં પાતાલ કહેવાય છે અને કોઈ ગ્રંથ પાતાલ નામને આ સાતમાં એક ભાગ ગણાવે છે.૨૧ પૃથ્વીના P. 16-11 & 199) એ પ્રમાણે પાતાલ નગરના ઉલ્લેખ છે. એવીઅન પણ પાતાલને ત્યાં મૂકે છે. એ નગરા હૈદરાબાદ પાસે હતું એમ કનિંગહામ આદિનું માનવું છે. પરંતુ તે માટે મતભેદ છે. સિંધુ હાલ કરતાં પૂર્વમાં વહેતી એટલે એ નગર પૂર્વમાં હેવાને સંભવ વધારે છે. કચ્છના રણના પૂર્વાવતાર સમુદ્રમાં સિંધુ રે છે. કચ્છના રણના પૂર્વાવતાર સમુદ્રમાં સિધુ મળતી તે વખતે સિંધુની એકાદ શાખા ઉપર એ નગર હેવાને સંભવ છે. Sir T. Holdich. Gates of India. P. 148માં એનું વર્ણન છે. હૈદરાબાદથી ૩૦ માઈલ દક્ષિણ પૂર્વે મૂકે છે. ૧૯ લિંગ પુ. અ. ૪૫-૨૩. (તિરુ); રકંદ. નાગર. અ. ૧. એ જ અ. ૩૧-૭. ધરત; એ જ . ૨૭ અને પછી ધતિ અને મોત; નાગરખંડ અ. ૩૧. લો. ૨૭માં તલ શબ્દ ધરાતલ અને મહતલ કહી પૃથ્વીની ઉપર અને અંદર એમ બે અર્થમાં વાપર્યો છે. ૨૦ જુઓ પાછળ નેટ ૧૧. ૨૧ કાઈ પુરાણ ગતિમાને બદલે “તલાતલ' કહે છે. અબરૂનીએ વાયુ અને આદિત્યપુરાણ પ્રમાણે પાતાલને કઠો આપે છે તે જોવા જેવો છે. પુરાણમાં વાયુનું પ્રાચીનત્વ જાણીતું છે. આદિત્યપુરાણે આદિત્યના શરીરના ભાગ મુજબ પાતાલના કમ આપ્યો છે તેને અબરની બી પુરાણે કરતાં ક્રમમાં ઠીક ગણે છે. (Sachan's Al Baruni P. 23031.) કંદ. કે. નં. અ. ૩૯માં પાતાલનું સારું વર્ણન છે. અતિવિતરું ચૈવ નિતરું = રસાતમૂ તાત જ કુતરું પાતા વા સક્ષમ છે પછી એ ભૂમિઓના રંગ આપ્યા છે. તે પછી લખે છે કે તેપુરાનવ ટંડેયના સરા: स्वर्लोकादपि रम्याणि द्रष्टानि बहुशो मया ।। आह्वादकारिणो नाना मणयो यत्र पन्नगाः ॥ दैत्यदानव कन्यामिर्महा रूपामिरन्विते ।। पाताले कस्य न प्रीति विमुक्तस्यापि जायते ॥ यत्र नाष्णं न शीतं न वर्ष दुःखमेव च ॥ भक्ष्य For Private and Personal Use Only
SR No.020443
Book TitleKhambhatno Itihas
Original Sutra AuthorN/A
AuthorRatnamanirao Bhimrao
PublisherDilavarjung Nawab Mirza
Publication Year1935
Total Pages329
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy