SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૧૨ પરિશિષ્ટ હું મા એ આખી કથાના પડ નીચે મિશ્રણ થતા પહેલાંના અને સંક્રાંતિકાળના શિવ અસુરે અને વૈદિક આર્યોના યુદ્ધની ઐતિહાસિક તવવાળી કથા ઢંકાએલી લાગે છે. અંદને શિવભક્ત તારકને માર્યાનો પસ્તાવો થાય છે.૭૪ સ્કંદ ઐતિહાસિક મનુષ્ય હોય અને વીર પૂજાય છે તેમ પૂજાતો હોય કે પછી ઈંદ્રાદિની પેઠે દેવ જ હોય અને એને નામે યુદ્ધ લઢાયું હોય એ કહેવું મુશ્કેલ છે. પરંતુ એ ગમે તે હોય છતાં પિતાની ભૂમિમાંથી અસુરે અને નાગેની સાથે એને દક્ષિણમાં જવું પડયું, અને આજે ઉત્તર હિદ કે ગુજરાતમાં એને કઈ પૂજતું નથી. એને કુમાર ધારે છે સ્ત્રી એનું દર્શન કરી શકતી નથી. જયારે દક્ષિણમાં એ મુખ્ય દેવ તરીકે પૂજાય છે અને એનું માન એના પિતા શિવ કરતાં પણ વધારે છે; એને કુંવારે રાખવાને બદલે બે સ્ત્રીઓ પરણાવે છે, અને સ્ત્રીઓ દર્શન કરી શકે છે. એક જ દેવા માટે રિવાજનો આટલો બધો ફેર કેમ ?૭૫ દ્રાવિડ દેશમાં એનાં અનાર્ય નામો પણ છે.૭૬ પરંતુ નવાઈ જેવું તો એ છે કે એને નાગપૂજા સાથે જોડે છે, અને એનું સુબ્રમણ્ય નામ નાગનું નામ પણ કહે છે.૭૭ આ સાથે સુબ્રમણ્ય સહસ્ત્રનામમાં આપેલાં ઝwifપતા: || પ્રભાસખંડ દ્વારકા માહાત્મ્યમાં પણ સ્કંદપુરાણ આખું રકંદ બ્રહ્મપુત્ર ભંગુને કહ્યું, ભૃગુએ અંગિરસને કહ્યું, એણે યવનને કહ્યું, એણે ચીકને કહ્યું એમ પરંપરાથી પ્રાપ્ત થયું. આ વચનમાં ઐતિહાસિક કાંઈ નથી, રકંદ ઐતિહાસિક વ્યક્તિ હોય કે દેવ હોય તોપણ તે ભગુચ્યવન જેટલી પ્રાચીન વ્યક્તિ નથી, પરંતુ પુરાણકાર એને દેવ ગણી જે કવિઓએ એ પરંપરા પ્રાપ્ત કરી તેમાં ભેગુ આદિ આગળ એલા આપણે પ્રાંત સાથે સંબંધ ધરાવતા ઋષિઓનાં નામ ગણાવે છે એ માત્ર સૂચક છે. અને માહેશ્વર ધર્મના પ્રચાર કયાંથી થયે તે સૂચવે છે. ૪ જાઓ ૪ ૫. કો. ખંડ અ. ૩ર અને ૩૩. એક વખત તે શિવભક્ત જાણી કંદે તારકને માર્યો નહિ. પછી વિષ્ણુના કહેવાથી માર્યો ત્યારે પસ્તાવો થશે. તેની શાંતિ માટે લિગ સ્થાપ્યાં. કેદારખંડ અ. ૨૯ . ૭૬માં તે તારકાસુર દેવને કહે છે કે “તમે આ કુમારને મારી સામે શા માટે ઘર્યો છે?” એ બતાવે છે કે કુમારને સેનાપતિ બનાવવામાં કાંઈક ભેદ છે જે ખુલે ત્યારે સમજાય. એમ કહેવાય છે કે હુમાયૂના એના ભાઈઓ સાથેના યુદ્ધમાં નાને અકબર એના કાકાના હાથમાં હોવાથી એને કેટ ઉપર બેસાડશે જેથી હુમાયૂના લશ્કરનાં તીર બંદૂકે અકબરને વાગવાના ભયથી યુદ્ધ ઉપર અસર થાય. આ દાખલાથી અહીં અવળું હોય. આર્યેતર જાતિના કોઈ બહુ લાગવગવાળા કુટુંબના બાળકને આયે પિતાના શત્રુઓની સામે ધરીને લઢવા આવ્યા હોય એમ બને. પરંતુ આ અનુમાનને ઉપરને કેદારખંડના સંદિગ્ધ વાકય સિવાય બીજો ટેકે નથી. ૭૫ ગૂજરાતમાં તૈભાગ્યવતી સ્ત્રી કંદના મંદિરમાં જઈ શકતી નથી. બંગાળમાં હલકી સ્ત્રીઓ એને પૂજે છે એમ ડૅ. ગોપીનાથરાવ કહે છે. ગુજરાતની કથાઓમાં રકંદને કુંવારો માને છે અને ગણેશને બે સ્ત્રીઓ માને છે. દ્રાવિડ દેશમાં ગણેશ કુંવારી અને સ્કંદને બે સ્ત્રીઓ છે. આ દેવસેના અને દૈત્યસેના એમ મનાય છે તે રૂપક માત્ર છે. દ્રાવિડ વલ્લી નામની અનાર્ય સ્ત્રી સાથે પણ એને સંબંધ જોડે છે અને વલ્લીકલ્યાણસુંદર એનું નામ કહે છે. દેશિક સુબ્રમણ્ય નામનું કંદનું સ્વરૂપ શિવને પણ સ્કંદ બેધ દે છે તેનું છે. મદ્રાસ ઇલાકામાં કંદને મેટો મહિમા છે અને એનાં મોટાં સ્વયંપ્રધાન મંદિરો છે.એના વરઘોડા અને સ્ત્રીઓ સાથે નીકળે છે. ૭૬ મુરગન-મલ્લી-વલ્લીકલ્યાણસુંદરમ વગેરે એનાં અનાર્ય નામે છે. આર્ય નામે કંદ, કાર્તિકેય, ગુહ, મુખ, અગ્નિભૂ, તારકારિ, કુમાર, પાર્વતીસુત વગેરે છે. ૭૭ Vogel: Indian Serpent Lore: P. 272 દક્ષિણ કનાડા પ્રાંતમાં પશ્ચિમ ઘાટના એક શિખર ઉપર નાગનું મંદિર છે. તેનું નામ સુબ્રમણ્ય છે. સુબ્રમણ્ય શબ્દનો અર્થ serpent-king નાગરાજ એમ કરેલ છે. પર્વતનું નામ પુષગિરિ અને તેની તળેટીમાં ગામ છે તેનું નામ પણ તીર્થ ઉપરથી સુબ્રમણ્ય છે. એ કંદનાં નામોમાંનું એક છે. અને દ્રાવિડ દેશમાં કંદ મોટેભાગે એ નામે જ ઓળખાય છે. આ સાથે કુંદના નામમાં જે સર્ષ-નાગને લગતાં નામો છે તે સરખાવવાં. વળી ડૅ. ગોપીનાથરાવ એમના પ્રતિભાવિધાનના ગ્રંથમાં કુંદના સ્વયંપ્રધાન મંદિરમાં કરવાની પરિવાર દેવતાઓની મૂર્તિએની યાદી કુમારતંત્રના આધારે આપે છે. પરિવારદેવતા ૮, ૧૨, ૧૬, ૩૨ એમ કરે છે. તેમાં નીચેનાં નામ નોંધવા For Private and Personal Use Only
SR No.020443
Book TitleKhambhatno Itihas
Original Sutra AuthorN/A
AuthorRatnamanirao Bhimrao
PublisherDilavarjung Nawab Mirza
Publication Year1935
Total Pages329
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy