SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પરિશિષ્ટ હું ૧૯૯ એમના વિરોધી આ એમના પછી હિંદમાં આવેલા. તેઓ સાદા, સરળ, અને કેવળ લડાયક ગુણ વાળા હતા. ખેતરે ખેડવાં અને ઝુંપડાં અગર તો છેક સાદાં મકાનમાં અણરક્ષાએલાં ગામડાં જેવાં સમૂહોમાં રહેવાની એમની રીત હતી.૮ આ આર્યો અસુરને હરાવી દેશના માલીક થઈ દેવ કહેવાયા અને અસુરો અધમ કહેવાયા, એ આગળ જઈ શું. આ માત્ર યુદ્ધ વિદ્યામાં અસુરોથી ચઢીઆતા હતા. દાસ જાતિ આ અસુરે અને આ ઉપરાંત દાસ-દક્ષ્ય નામની હિંદની અસલ વતની એક ત્રીજી જાતિ હતી. અસુર અને આર્યો અને તેની સાથે લઢતા અને એ જાતિએ પણ સમય પ્રમાણે બનેની સાથે સંપ અને શત્રતા રાખેલી, અને દેવાસુર સંગ્રામમાં બેમાંથી એક પક્ષે રહી લઢેલી. આ સંગ્રામ વેદકાળના જૂનામાં જૂના સમયમાં શરૂ થઈ વેદના છેવટના સમયમાં લગભગ પૂરો થયો. હિંદના વાયવ્ય પ્રદેશમાં વસતા દાસ લોકોને પહેલાં અસુરોએ અને પછી આર્યોએ પૂર્વ અને દક્ષિણ તરફ નસાડ્યા.૧૦ આ સંગ્રામને પરિણામે આ ત્રણે જાતિઓ એક બીજા સાથે એવી વિચિત્ર રીતે મળી ગઈ કે એ મેળવણીમાંથી બનેલા હાલના હિંદુ સમાજમાં પોતાને શુદ્ધ આર્ય માનતો બ્રાહ્મણ મૂળ આ ત્રણમાંથી કયી જાતિને તે પારખી શકાય નહિ. આ ત્રણ જાતિઓની મેળવણીની શરૂ થએલી ક્રિયાને મહાભારતના યુદ્ધ છેવટની મહોર મારી દીધી.૧૧ ૮ Asura in India: P. 18-21. બાંધકામ અસલ અસુરેનું અને પછી દાસેનું ખાસ કાર્ય હતું. આ માટે તેવા ઉલ્લેખ નથી, જુઓ Mohenjo Daroને ગ્રંથ. આમાં આ બાંધકામ આર્યોનાં નથી એમ લખેલું છે. અસુરોનાં છે એમ સ્પષ્ટ તો નથી લખ્યું. પરંતુ કોઈ આતર જાતિનાં છે એમ કહેલું છે. અસુરેને ખ્યાલ આવેલો નથી અગર તેમાંથી નીકળેલા લેખે વંચાય ત્યાંસુધી એ ગ્રંથના લેખકે લખવું યોગ્ય નહિ ધાર્યું હોય. પરંતુ પિરાણિક પરંપરા પ્રમાણે મય આદિ મોટા બાંધકામ કરનાર અસુરે છે તે જોયું. એટલે એ આર્યેતર જાતિ તે અસુરો જ છે. ૯ Asura in India: P. 36–37. દાસે કાળા અને બેઠેલા ટૂંકા નાકવાળા હતા. એમને વેદ “અનાસ' નાક વગરના કહે છે. આર્યો સફેદ અને લાંબા તીણ નાકવાળા હતા. અસુરે હિરણ્ય અથવા સોનેરી અંગના હતા. અસુરોને વર્ણ હિરણ્ય એમ છે અનરજી શાસ્ત્રીએ બતાવ્યું છે. અવેદ ૧-૩૫-૧૦માં હિષ્ય દત્ત મયુર વગેરે મંત્ર છે. એ સાથે તૈતિરીય અ. રણ્યકને કંદપુરાણની પ્રસ્તાવનામાં આપેલો શિવસ્તુતિને ઉતારે જોવા જેવો છે. નમો હૂિરખ્ય વચ્ચે રિખ્ય વચ હિરણ્ય પાય દિગ્ય પતયેન્કિંઈ પતયે સમાપન પરીપતયે નમઃ || આહિરણ્યહસ્ત વેદનો દેવ, અને હિરણ્યબાહુ પશુપતિ શિવ અને હિરણ્યવર્ણ અસુરને એ શું સૂચન કરે છે તે પ્રશ્ન છે. શિવ અસરના દેવ એ આગળ જોઇશું. ૧૦ એ જ પૃ. ૩૬-૩૭. બ્રાહ્મણ સમય સુધી ધણીખરી વૈદિક સમયની ઐતિહાસિક પરંપરાઓ તાજી હતી. છતાં યજુર્વેદ અસુરે માટે જે ઉલ્લેખ કરે છે કે અસુરે અંધકારથી વ્યાપ્ત છે તે જોતાં અસુરેની કદ કાળની પ્રતિષ્ઠા પાછલા વૈદિક સમયમાં ઓછી થતી આવતી હતી. ૧૧ એ જ પૃ. ૮૩-૮૪. શ્રી અનંતપ્રસાદ બનરજી શાસ્ત્રી એમના નિબંધમાં અસુર, આર્યો અને દાસ જાતિનું જે અદ્ભુત મિશ્રણ થયું તેનું સુંદર વર્ણન સપ્રમાણ કરે છે. આજ સુધીના વૈદિક સાહિત્યના લેખકોએ અસુર જાતિને યથાર્થ રીતે સમજવામાં ઘણે ગોટાળો કરેલ છે, અને વેદના યુરોપીય વિદ્વાનેમાંથી ઘણાઓએ તો એના રુપક તરીકે અર્થ કરેલા છે. પાર્જીટર અસુરને જુદી જાતિ ગણે છે. એમની દલીલો ઉત્તમ છે. પરંતુ ઐલો માટેની એમની માન્યતા વાદગ્રસ્ત છે અને તેને લીધે કેટલાંક આર્ય અને અસુર કુલને ઓળખવામાં એમણે શંકા ઉત્પન્ન થાય એવું લખાણ કરેલું. આમ છતાં પણ પ્રાચીનતમ બ્રાહ્મણોને આર્યો કરતાં અસુર-દૈત્ય દાનવો સાથે ખાસ સંબંધ છે. આર્ય બ્રાહ્મણો છે નહિ. મુખ્ય દેવેએ બ્રાહ્મણ અસુરને મારી બ્રહ્મહત્યા કરી એમ પુરાણો કહે છે છતાં વૃત્રાદિને મારવા માટે વંદે દેવાનાં વખાણ કરે છે વગેરે વિગત (Ancient Indian His. For Private and Personal Use Only
SR No.020443
Book TitleKhambhatno Itihas
Original Sutra AuthorN/A
AuthorRatnamanirao Bhimrao
PublisherDilavarjung Nawab Mirza
Publication Year1935
Total Pages329
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy