SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જોવાલાયક સ્થળા ૧૫૨ બાંધેલું મકાન દીઠું અને એ મકાન પાછળથી દરબાર સાહેબે ખરીદી લીધેલું.૬ આ મકાનને સુધરાવી હાલ ત્યાં મુસ્લીમ ડૅાસ્ટેલ કરવામાં આવી છે. આ સિવાય ખંભાતમાં હુસેની બાગ, સ્ટેશને જતાં એડવર્ડ બાગ, નવા ખાગ અને ત્રણ માઇલ દૂર નેજા ગામ છે ત્યાં નામદાર નવાબ સાહેબના બંગલા તથા બાગ પણ જોવાલાયક છે. *તેહ દરવાજા બહાર શહેરની વાયવ્ય દિશામાં એક તળાવ છે. ત્યાં એક નાનું ઘર છે તેને કલ્યાણરાયના ઘર તરીકે ઓળખાવાય છે.૭ કાઢ અને દરવાજા ખંભાતના કાટ જૂના છે અને ચાર ચારસ વાર જમીનની આસપાસ વીંટાએલા છે. ઉત્તરમાં ફતેહ અને પીઠના દરવાજા છે. પૂર્વમાં માદલા, ચક અને ગવારાના દરવાજા છે. આ ગવારાને દરવાજો અને પશ્ચિમને પુરજાના તથા મક્કાઇ દરવાજે એ ત્રણ દરવાજા ખંભાતના ઇતિહાસમાં પ્રસિદ્ છે. ગવારાની બહાર મેટું બજાર ભરાય છે. દક્ષિણના મકાઈ દરવાળે પહેલાં મક્કા તરફનાં વહાણુમાં એ દરવાજેથી જવાતું માટે કહેવાતા, અને પુરજા દરવાજો જકાતને માટે હતા. એ દરવાજાને ઇતિહાસ આગળ જોઇ ગયા છીએ. પશ્ચિમે ચાકામલી દરવાજો છે. શહેરના હાલના દેખાવ એકંદરે સારા અને હિંદમાં સુધરેલા શહેરને શાબે એવા છે. વડવા માદલા તળાવથી આગળ દેઢેક માઇલ દૂર વડવાની વાવ છે. ઉત્તર ગુજરાતની બીજી વાવા જેવી એ સુંદર અને મનેહર કારીગરીવાળી નથી, છતાં સામાન્ય રીતે મેાટી વાવ છે અને રાતા પથ્થરથી બાંધેલી છે. આ વાવ સુલતાન મહમ્મદ બેગડાના સમયમાં બંધાએલી છે. વડવા એટલે ‘વટકૂપ’. પ્રાચીન હિંદુ સમયમાં બંદર ઉપર જ્યાં મેટા દંડા ઉપર ધજા ફરકતી તેને ‘ટકપ’ (big mast) કહેતા. એ ઉપરથી ‘વડવા' પ્રાકૃત થયું. એ જગ્યાએ પ્રાચીન બંદર હશે. ભાવનગર પાસે પણ એ રીતે વડવા છે. વાવ વિ. સં. ૧૫૭૯માં સંભાળી ધનદે લાકકલ્યાણ માટે બાંધી એને લેખ પરિશિષ્ટમાં આપ્યા છે. ૬ અહીં બ્રિગ્ઝની સમજમાં કાંઈક ગોટાળા સમજાય છે. (જુઓ Briggs Cities of Gujarashtra પ્ર. ૭ અને ૮.) ખંભાતની આસપાસ ઘણા ભાગ હતા એમ પૂર્વે આવેલા મુસાફરો વર્ણન કરી ગયા છે. કાર્બ્સ મિ. ડંકન પહેલાં વીસ વર્ષ અગાઉ આવેલે; એટલે ખ્રિગ્ઝ કહે છે તે મકાન ફૅબ્સિના વખતમાં નહિ હોય, લોકો કહે છે કે માદલા તળાવ ઉપર સાત માળના મહેલ હતા તે તેાડી પાડવામાં આવેલા છે. ફ્રાન્ક્સનાં વર્ણનને સ્પ્રિંગ્સ બહુ વજન નથી આપતા. એક જૈન મંદિરને એણે હિંદુ મંદિર લખેલું છે. બ્રિગ્ઝ પણ કેટલીક એવી નાની ભૂલેા કરે છે. આ બંને લેખકાએ અઢારમી સદીના અંતનું અને ઓગણીસમીના પૂર્વાર્ધના ખંભાતનું એકંદરે સારૂં વર્ણન આપેલું છે અને પરદેશીઓના વર્ણનમાં એ બંને સાથી લાંબાં છે. માદલા તળાવનું પાણી કપડાં ધેાવામાં ખાસ વખણાય છે. છ Bom. Gaz‚ VI. 240. પરંતુ આ કયું તળાવ તે નામ ગેઝેટીઅરના લેખકે નથી આપ્યું. ૮ ગેઝેટીઅરમાં આપેલા આ દરવાજામાં પાછળ કેર જણાય છે. એક હકીકતમાં ઉત્તરમાં ગવારા, કુંતેહ અને લાલ; પૂર્વમાં પાણીઆરી; દક્ષિણમાં ફુરજા અને મકાઇ તથા પશ્ચિમમાં ચાકામલી અને મહમદજી એમ આઠ દરવાજા છે. દિલખુશ બાગનું નામ આ હકીકતમાં માદલા ખાગ આપ્યું છે. For Private and Personal Use Only
SR No.020443
Book TitleKhambhatno Itihas
Original Sutra AuthorN/A
AuthorRatnamanirao Bhimrao
PublisherDilavarjung Nawab Mirza
Publication Year1935
Total Pages329
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy