________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
C
www.kobatirth.org
(૨૩) ત્રેવીસમે ભવે વિદેહક્ષેત્રમાં મૂકા નામની રાજધાનીમાં ધનંજય રાજાની ધારિણી નામે રાણીની કુખે ચોરાસી લાખ પૂર્વના આયુષ્યવાળો પ્રિયમિત્ર નામે ચક્રવર્તી થયો. તેણે પોટ્ટિલ નામે આચાર્ય પાસે દીક્ષા લઈ, એક કરોડ વરસ સુધી સંયમ પાળી, અંતે કાલ કરીને.
(૨૪) ચોવીસમે ભવે મહાશુક્ર દેવલોકમાં સર્વાર્થ નામના વિમાનમાં સત્તર સાગરોપમની સ્થિતિવાળો દેવ થયો.
(૨૫) ત્યાંથી ચ્યવીને પચીસમે ભવે આ ભરતક્ષેત્રમાં છત્રિકા નામે નગરીમાં જિતશત્રુ રાજાની ભદ્રા નામે રાણીની કુખે પચીસ લાખ વરસના આયુષ્યવાળો નન્દન નામે પુત્ર થયો. તેણે ઘણા વરસ રાજ્ય ભોગવી, અનુક્રમે જન્મથી ચોવીસ લાખ વરસ વ્યતિક્રમાવી, રાજ્યનો ત્યાગ કરી, પોટ્ટિલાચાર્ય પાસે દીક્ષા લીધી. દીક્ષિત થયા બાદ નન્દનમુનિએ જીંદગી પર્યંત માસખમણો કરીને, વિસસ્થાનકનું આરાધન કરવાથી તીર્થંકર નામ કર્મ ઉપાર્જન કર્યું. તેમણે એક લાખ વરસ સુધી ચારિત્ર પાળી, અંતે એક માસની સંલેખનાપૂર્વક કાળ કરીને.
(૨૬) છવીસમે ભવે પ્રાણત નામના દેવલોકમાં પુષ્પોત્તરાવતંસક વિમાનમાં વીસ સાગરોપમની સ્થિતિવાળો દેવ થયો.
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ને આ વિથ ધ | C
દ્વિતીય વ્યાખ્યાનમ્
૮૧