SearchBrowseAboutContactDonate
Page Preview
Page 522
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra કલ્પસૂત્ર ભાષાંતર www.kobatirth.org ચિતાઓને સિંચન કરી. જ્યારે તે શરીરોમાંથી અસ્થિ (હાડકાં) સિવાય બાકીની બધી ધાતુઓ દગ્ધ થઈ ગઈ, ત્યારે ઇન્દ્રના હુકમથી મેઘકુમાર દેવોએ તે ત્રણે ચિતાઓને જલ વડે ઠારી. પછી પોતાના વિમાનમાં પ્રતિમાની જેમ પૂજા કરવા માટે સૌધર્મેન્દ્ર પ્રભુની ઉપલી જમણી દાઢા ગ્રહણ કરી; ઈશાનેન્દ્રે ઉપલી ડાબી દાઢા ગ્રહણ કરી, ચમરેન્દ્રે નીચેની જમણી દાઢા ગ્રહણ કરી, બલીન્દ્રે નીચેની ડાબી દાઢા ગ્રહણ કરી; અને બાકીના દેવોએ કેટલાકે જિનભક્તિથી, કેટલાકે પોતાનો આચાર જાણીને અને કેટલાકે ધર્મ સમજીને પ્રભુના શરીરમાંથી બાકી રહેલાં અંગોપાંગનાં અસ્થિ ગ્રહણ કર્યાં. પછી ઇન્દ્રે તે ચિતાઓને સ્થાને એક જિનેશ્વર ભગવંતનો, એક ગણધરોનો, અને એક બાકીના મુનિઓનો; એમ ત્રણ રત્નમય સ્તૂપ કરાવ્યા. ત્યાર પછી શક્રાદિ દેવો નંદીશ્વર દ્વીપે જઈ અઠ્ઠાઇ મહોત્સવ કરીને પોતપોતાના વિમાનમાં ગયા. ત્યાં પોતપોતાની સભામાં વજ્રમય દાબડાઓમાં જિનદાઢાઓ મૂકી સુગંધી પદાર્થો માલા વિગેરે વડે તેઓની પૂજા કરવા લાગ્યા ||૨૨ના (સમસ નું ગહનો હોસનિયલ્સ નાવ સવતુવપદીળસ્ત્ર) સર્વદુ:ખથી મુક્ત અર્હન્ કૌશલિક શ્રીઋષભદેવ પ્રભુના નિર્વાણ કાલથી તિળિ વાસા ગનવમાં ૫ માસા વિડ્વયંતા) ત્રણ વરસ અને સાડા આઠ માસ વ્યતીત થયા. (તો વિ ) ત્યાર પછી પણ (મ્યા સાથરોવમોડાજોડી તિવાસઞદ્ધનવમમા For Private and Personal Use Only Acharya Shri Kailassagarsuri Gyanmandir સપ્તમં વ્યાખ્યાનમ્ ૫૧૦
SR No.020432
Book TitleKalpasutra
Original Sutra AuthorN/A
AuthorRajkirtisagar
PublisherSubodh Shreni Prakashan
Publication Year2003
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati, Paryushan, & agam_kalpsutra
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy