________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobabirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
પ્રથમ વ્યાખ્યાનમ
તે રોગને હરે છે; અને રોગ ન હોય તો શરીરમાં બળ વધારે છે, વીર્ય પુષ્ટ કરે છે, અને કાત્તિની વૃદ્ધિ કરે છે.” રાજાએ કહ્યું કે – “આ ઔષધ ઉત્તમ છે'. પછી એ ત્રીજા વૈદ્યનું ઔષધ કરાવ્યું, અને તે વૈદ્યનું ઘણું દિલ સન્માન કર્યું. એ ત્રીજા ઔષધની પેઠે આ દસ કલ્પો પણ દોષ હોય તો તે દોષનો નાશ કરે છે, અને દોષ ન હોય તો ધર્મની પુષ્ટિ કરે છે.
જો કે સાધુઓ વિહાર કરે તો ઘણો લાભ થાય; પણ વરસાદના દિવસોમાં ઘણા જીવ ઉત્પન્ન થાય છે, અને તેથી તે જીવોની વિરાધના થાય, માટે જ વરસાદના ચાર માસ સાધુઓને એક સ્થાને રહેવાનું કહ્યું છે. શ્રીકૃષ્ણ મહારાજા, જે ત્રણ ખંડના ધણી હતા, તેઓ જો ચોમાસામાં સભા ભરીને બેસે તો તેમને નમન કરવા સોળ હજાર મુકુટબદ્ધ રાજાઓ, હાથી, ઘોડા, રથ, પાલખી, નોકર, ચાકર વિગેરે પરિવારથી પરિવરેલા આવે અને જાય. તેમના આવવા જવાથી કુંથુઆ, કીડી વિગેરે ઘણા જીવોનો ઘાત થાય. તે ઘાત ન થાય માટે વરસાદના ચાર માસ કૃષ્ણ મહારાજા પોતાના મહેલમાં રહેતા, પણ સભા ભરતા નહીં. એવી રીતે બીજા પણ ઉત્તમ પુરુષોએ ચોમાસામાં ઘણા સાવદ્ય વ્યાપાર કરવા નહીં, ચોમાસામાં બહુ દૂર જવું નહીં, તેમાં પણ સાધુઓએ તો ચોમાસામાં વિશેષ પ્રકારે એક સ્થાને રહેવું.
ચોમાસુ રહેલા સાધુ પર્યુષણ પર્વ આવે ત્યારે માંગલિકને માટે પાંચ દિવસ કલ્પસૂત્ર વાંચે. જેમ-દેવોમાં
૧૫
For Private and Personal Use Only