SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra કલ્પસૂત્ર ભાષાંતર www.kobatirth.org શયનમંદિરમાં વળી તે શયનમંદિર કેવું છે ! તે કહે છે - (હિંમતો સચિત્તમે) તેની અંદરના ભાગમાં સર્વ ભીંતો વિવિધ પ્રકારના ચિત્રોથી ચીતરેલી હોવાથી રમણીય છે, એવું (વાહિરનો ટૂમિગઘટ્ટમ) બહારના ભાગમાં ચૂનો લગાવેલો હોવાથી ચાંદની જેવું સફેદ છે, વળી કોમલ અને ચીકણા પાષાણાદિથી ઘુંટેલું હોવાથી સુંવાળું અને ચકચકીત છે. (વિવિત્તરત્નો ચિહ્નિયતને) તે શયનમંદિરનો ઉપરનો ભાગ વિવિધ પ્રકારના ચિત્રોવાળો છે, અને તળીયું દેદીપ્યમાન છે, (ળિયળપળાસિગન્ધયા) જેની ચારે તરફ મણિઓ અને રત્નો જડેલા હોવાથી અંધકાર નાશ પામ્યો છે, એવું, (વહુસમ-વિમત્તભૂમિમાને) તે શયનમંદિરનું આંગણું જરા પણ ઉંચું નીચું નથી બરાબર સપાટ છે; વળી પાંચ વર્ણવાળા મણિઓથી બાંધેલું હોવાથી ભિન્ન ભિન્ન જાતના સ્વસ્તિકાદિની રચના વડે મનોહર છે. (પંચવાસરસસુર્વામુવપુર પુંનોવચારવલિ) રસ સહિત અને સુગંધમય એવા પંચવર્તી પુષ્પોના સમૂહને યોગ્ય યોગ્ય સ્થળે ગોઠવેલ હોવાથી સંસ્કાર યુક્ત છે. (લાગુ પવરવુંતુ-તુવર કડ઼ાંતપૂર્વ મઘમવંતાંબુદ્ધુ આમિરામે) કાળો અગરુ ઉંચી જાતનો કિંવ્રુ, સેલારસ, અને બળી રહેલો દશાંગાદિ ધૂપ, એ બધા પદાર્થોનો મહેક મારી રહેલી અને ચારે તરફ ફેલાઈ રહેલી જે સુગન્ધ; તે વડે રમણીય છે, (સુગંધવરસંધિ) For Private and Personal Use Only Acharya Shri Kailassagarsuri Gyanmandir હથી કર્યું દ્વિતીય વ્યાખ્યાનમ્ ૯૯
SR No.020432
Book TitleKalpasutra
Original Sutra AuthorN/A
AuthorRajkirtisagar
PublisherSubodh Shreni Prakashan
Publication Year2003
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati, Paryushan, & agam_kalpsutra
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy