________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૬
પરિશિષ્ટ નં ૨૭
મુંબઈ, તા. ૧૨-૯-૩૨. દીક્ષા પ્રતિબંધક સમિતિના પ્રમુખ સાહેબ,
- મહેરબાન ગોવિંદભાઈ હાથીભાઈ હું નીચે સહી કરનાર પાટણવાસી (હાલમાં મુંબાઈ) શા ગીરધરલાલ (ઉર્ફે ગીણસાગર )નું નિવેદન એ છે કે આપની સમિતિ આગળ કઈક પાટણવાસી ભાઈ એમ જણાવી ગયા છે કે મેં એટલે ગીરધરલાલે (ગીવણસાગરે) પત્ર લખ્યો હતો કે કસાઈખાનેથી ગાય છોડાવવા બરોબર મને અહિથી છોડાવવોએ વિગેરે હકીકત સચ્ચાઈથી સર્વથી વેગળી છે, કારણ કે મેં તેને કાગળ કોઈના પણ ઉપર લખ્યો જ નથી, તેમ જ હું પહેલાં કે હમણાં દીક્ષાને, હાલના દીક્ષિતને તેવા માનતા નથી. મારી દીક્ષા ટાવાનું કારણ મારા પરિણામની ચંચળતા જ હતી.
લી. ગીરધરલાલ તલચંદ, સહી દઃ પિતે. | [ તપાસ સમિતિ ઉપર રવાના ટપાલ દ્વારા ]
પરિશિષ્ટ નં. ૨૮ શ્રી દીક્ષા તપાસ સમિતિના માનવંતા પ્રમુખ સાહેબ.
મુ. વડોદરા. સાહેબ,
આપની સમક્ષ જુબાની આપતાં અમારા ગામના રહીશ વકીલ મેહનલાલ હીમચંદે પંન્યાસજી શ્રી રામવિજયજી સંબંધી જે હકીકત જણાવી છે, તે તદ્દન ખોટી છે. પંન્યાસજી શ્રી રામવિજયજી મારા સંસારી૫ણાના નિકટ સંબંધી છે, અર્થાત તેઓ મારા ભત્રીજાના દીકરા થાય છે. વકીલ મેહનલાલભાઈએ જે વાત જણાવી છે, તેમાં કેટલીક તદન જુઠી છે અને કેટલીક અતિશક્તિવાળી છે. તે નીચેની સત્ય બીનાથી આપને સ્પષ્ટ માલૂમ પડી આવશે.
For Private and Personal Use Only