________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯૬
પરિશિષ્ટ નં. ૧૦ ૧. કંચનભાઈ બહેન-શ્રીયુત ઉત્તમ કાપડીયાના સુપુત્રી અને સુરતના
વતની હતા. તેમણે ૨૮ વર્ષની ઉંમરે પ. પૂ. શ્રી સાગરાનંદસૂરિશ્વરજીની સુહસ્તે સુરતમાંજ ખૂબ મહોત્સવ પૂર્વક સં. ૧૯૮૮ ના વૈ. સુ. ૩ ના રોજ દીક્ષા અંગીકાર કરી છે. તેમનું નામ સાધ્વી કુસુમશ્રી અને તેમના ગુરૂણજી સાધ્વીજીશ્રી ચંપાશ્રીજી છે. આ હેનના પતિએ પણ થોડાજ દિવસ પહેલાં પૂ. આચાર્યશ્રી કીમ ગામે હોવાથી, ત્યાં જઈ દીક્ષા અંગીકાર કરી હતી. આ સંબંધી કંચન બહેનના બંધુ ઝવેરી ખીમચંદ ઉત્તમચંદે પણ સમિતિ સમક્ષ આવી જુબાની આપી છે. જૂઓ પરિશિષ્ટ ન. ૨૧. નેમી હેન–શ્રીયુત ચુનીભાઇ વખારીયાના સુપુત્રી અને સુરતના વતની હતા. તેમણે ૪૦-૪૧ વર્ષની ઉંમરે તેમની ત્રણ ચાર લાખની મિલ્કતનો મેહ ઉતારી, તે મિલ્કત પારમાર્થિક કામમાં વાપરી, પ. પૂ. શ્રી સાગરાનંદસૂરિશ્વરજીના સહતે સુરતમાંજ ખૂબ મહોત્સવ પૂર્વક દીક્ષા અંગીકાર કરી હતી. તેમનું નામ સાધ્વી નિર્મળાશ્રીજી અને
તેમના ગુરૂણીજી સાધ્વી શ્રી તિલકશ્રીજી છે. ૩. કંચન હેન-ઝવેરી હીરાભાઈ મંછુભાઈના સુપુત્રી અને સુરતના વતની
હતા. તેમણે ૧૯ વર્ષની ઉંમરે શ્રીમંત પિતાની છાયામાંથી છૂટી પ. પૂ. શ્રી સાગરાનંદસૂરિશ્વરજીના સુહસ્તે સુરતમાંજ ખૂબ મહોત્સવ પૂર્વક વૈ. સુ. ૬ ના રોજ દીક્ષા અંગીકાર કરી છે. તેમનું નામ સાધ્વી કમળથીજી અને તેમના ગુરૂણીજી સાધ્વીજી શ્રી હીરશ્રીજી છે. આ સંબંધમાં ઝવેરી હીરાભાઈ મંછુભાઈએ પોતે પણ સમિતિ સમક્ષ જુબાની આપી છે. જેઓ પરિશિષ્ટ ન. ૧૯. લીલાવતી બહેન–શ્રીયુત મૂળચંદભાઈ અદાલતવાળાના સુપુત્રી અને સુરતના વતની હતા. તેમણે ૧૫ વર્ષની કુમારીકાવસ્થામાં જ ૫. પૂ. શ્રી સાગરાનંદસૂરિશ્વરજીના સહસ્તે સુરતમાંજ વૈ. સુ. ૬ ના રોજ ખૂબ મહોત્સવ પૂર્વક દીક્ષા અંગીકાર કરી છે. તેમનું નામ સાધ્વીત્રી વિમળશ્રીજી અને તેમના ગુરૂણીજી સાધ્વી શ્રી હીરશ્રીજી છે.
ઉપરોક્ત ચારે દીક્ષા મહોત્સવમાં તેમનાં સગાંવહાલાં સાથે સુરતની જૈન અને જૈનેતર પ્રજાએ ઉલટ ભર્યો ભાગ લીધો હતો.
(મુંબાઈ સમાચાર તા. ૧ર-૫-કર નો ઉતારે)
For Private and Personal Use Only