________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ પોતાનું હિત છે, એટલે સાધુ કહે કે દીક્ષા લે તે ભણવા જવું નહિ પડે, મોટા મોટા નમશે, બાપા પણ નમશે–એમ કહેલું, તેથી વિચાર
. ત્રીજા માસામાં કાશીવાળા કપુર વિજય પાટણ ચોમાસું હત. તેમને વંદન કરવા બાપને પૂછ્યા વગર પાટણ જતો હતો. રસ્તામાં અમદાવાદ ઉ. અમદાવાદ મારી દાદી પ્રથમ દીક્ષિત થયેલાં છે, તેમને મળે. તેમને એક ચેલી છે. મેં કહ્યું કે હું પાટણ ગુરૂને વાંદવા જઉં છું. મને કહ્યું કે ત્યાં કોઈ છે નહિં અને તું ખોટું બોલી દીક્ષા લેવા જાય છે. મને આઠ દિવસ રોક્યો. મારા પિતાશ્રીને ખબર આપી. તેમને કાગળ આવ્યું કે તેને રહેવું હોય ત્યાં સુધી રાખજે અને પછી મોકલી આપો. પછી હું ડભોઈ જવા નીકળે. મારી સાથે માણસ આવેલ, તેણે મને ટીકીટ કરાવી આપી. ટ્રેન ઉપડતાં પહેલાં તે માણસ ચાલ્યો ગયો, એટલે હું ટ્રેઈનમાંથી ઉતરી પાછા ગયા. કારણ કે હારે ડભોઈ જવું ન હતું. ગરણીજીએ મને દીક્ષા અપાવવા માટે ઉંઝા કાગળ લખી આપ્યો, તે લઈ ઉંઝા ગયો, મુનિશ્રીને મળ્યો અને રાતના બે વાગ્યા સુધી વાતચીત કરી. ઉંઝામાં સંઘની સંમતિ લઈને દીક્ષા આપવી-એવો ઠરાવ છે, તેથી સિદ્ધપુર જવાનું નકકી કર્યું. બીજે દિવસે સિદ્ધપુરમાં દીક્ષા આપી. મેત્રાણા ગામે ઝાડ નીચે ઠવણી મૂકી ફેરા ફેરવ્યા. બીજે દિવસે ટુંડાવ ગયા. ટુંડાવમાં ત્રણ દિવસ રહ્યા. દરમ્યાન ઘરવાળા સાંભ. સાધુ એકલા ફરતા હતા અને વિદ્યાભ્યાસ ડે હતો, એટલે ગમ્યું નહિં, એટલે નાસી જવાનો વિચાર કર્યો. છેવટે લોટે જવાનું નામ દઈ ભાગોળે ગયો. ઉપાશ્રયમાંથી શ્રાવકના બે પંચીયાં લઈ લીધા. રસ્તામાં પહેર્યા અને પેલા કપડા મૂકી દીધા. રસ્તામાં શ્રાવક મળ્યો. તેની સાથે આવવા મેં ના પાડી. ગામમાં ખબર પડી અને વરતણીયા ડાવ્યા. વરતણીયા મળ્યા અને મને કહ્યું કે આવો, નહિં તે ઉંચકીને લઈ જવાના! તેથી હું ગયો. શ્રાવકને ત્યાં બેઠા. મહારાજ ત્યાં આવ્યા અને મને કહ્યું કે તેં કહ્યું હોત તો વિદાય કરત. મેં કહ્યું મારી ભૂલ થઈ. પછી મને ખવડાવ્યું અને ટીકીટ માટે બે રૂપીયા અપાવ્યા. માણસ ઉંઝા મોકલ્યો અને ઉંઝાથી હું અમદાવાદ આવ્યો. અમદાવાદ મણીલાલ ચોકશીને ત્યાં આવ્યો, નાસ્તો કર્યો ને ત્યાંથી આઠ આના લીધા અને બીજ પૈસા મારી પાસે હતા, તે લઈને ઘેર આવ્યો. મારા બાપા મારી પાછળ ફરેલા.
For Private and Personal Use Only