________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬. ઉનાવાના શા. મુળચંદ નહાલચંદના ૬ વર્ષના છોકરાને શંખેશ્વરમાં દીક્ષા
મધ્યરાત્રિએ આપી. (આચાર્ય મહારાજ પાસેથી મેળવેલી હકીકતો (આ સંબંધી પરિશિષ્ટ નં. ૮ માં ખુલાસો થઈ ગયેલ છે.) ૭. મહેસાણાની રતન નામની મારવાડી બાઈના છોકરા શેષમલ પ્રતાપને
વીરમગામ નસાડી દીક્ષા આપી. (વર્તમાનપત્રો ઉપરથી મળેલી)
(આ બાબત પરિશિષ્ટ નં. ૭ માં કહેવાઈ ગઈ છે.) ૮. મહેસાણાના વૃજલાલ શકરચંદને અમદાવાદમાં દીક્ષા આપી.
આ બાબતમાં છોકરાના બાપે જાતે દીક્ષા નિબંધ તપાસ સમિતિ સમક્ષ જુબાની આપી છે, તેમાં જણાવ્યું છે કે તેની સંપૂર્ણ ઈચ્છા અને મારી સંમતિથી તેણે દીક્ષા લીધી છે. જુબાની માટે જુઓ પરિશિષ્ટ - ૧૩.
ભાવનગરના ૧૪ વર્ષના છોકરા પ્રતાપને ત્રણ વર્ષ ઉપર નસાડેલો, તે વીસનગર આવેલે. તેના બાપને તારથી ખબર આપતાં તે લઈ ગયેલ. ફરી તે છોકરાને કેાઈ સાધુએ નસાડેલ. પાછો ઘેર આવ્યો છે. (બાપ પાસેથી મેળવેલી હકીકત)
આ બાબતમાં છોકરાના બાપે શક ઉપરથી ફરીઆદ કરેલી, પરંતુ | છેવટે છોકરા પાછો ઘેર આવી જવાથી, ફરીઆદ પાછી ખેંચી લીધી છે. ૧૦. પાલીતાણાની જશી નામની છોકરીને નસાડી પાટણ લાવેલા, પણ
પાછળથી સગાવ્હાલાં આવી લઈ ગયા. (વર્તમાનપત્રો તથા પાટણના ગૃહસ્થો પાસેથી મેળવેલી હકીકતો
આ સંબંધી પાટણવાળા રા. ભોગીલાલ હાલાભાઈએ તેમની જુબાનીમાં ખુલાસો કર્યો છે કે બાઈ જાતે પાટણ આવેલી, તેની દીક્ષા લેવાની ઈચ્છા હતી, પરંતુ તેનો બાપ તેનાં લગ્ન કરવાનું કહેતા તેથી પાટણ આવેલી. ત્યારબાદ તેનાં સગાંવહાલાં આવીને તેને લઈ ગયા. વધુ માટે જુઓ તેમની જુબાની પાછળ પાને ૧પ. ૧૧. કચ્છની અમૃત નામની સગીર છોકરીને ખંભાત લાવેલ, પણ હકીકત
જાહેર થતાં સરકારે મનાઈ હુકમ કાઢો. (આ સંબંધી પરિશિષ્ટ નં. ૧માં હકીકત આવી ગઈ છે.) ૧૨. વડોદરામાં દસ વર્પની બાળાને દીક્ષા નહીં આપી શકાયાથી, છાણી
લઈ જઈ દીક્ષા આપી. બાપ મરી ગયો છે. (વડોદરાના વર્તમાનપત્ર ઉપરથી)
For Private and Personal Use Only