________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સહાલમાં સાધુ-સાધ્વીઓ કેટલા ? જ ૦ ૪૦૦-૫૦૦ સાધુ, ૧૫૦૦ સાધ્વીઓ. સત્ર તીર્થકર કેટલા? જ તીર્થકર ૨૪ થયા. સ. તેમાંથી સગીર વયે કેટલા દીક્ષિત થયેલા ? જ કેઈનહિં. અમારા ર૪ તીર્થકરે પૈકી કેઈએ સગીર વયમાં દીક્ષા લીધી નથી.
મહાવીરસ્વામિ કે જેઓ ત્રીકાળ જ્ઞાની હતા, તેઓએ ગર્ભમાં હલનચલન બંધ કર્યું, તેથી તેમના માતા ક૯પાંત કરવા લાગ્યા તેથી, તેમણે સંકલ્પ કર્યો કે હજુ માતાએ મારું મોટું પણ જોયું નથી, છતાં કલ્પાંત કરે છે. તે મારા જન્મ પછી જ્યાં સુધી માતા પિતા જીવતાં હોય ત્યાં સુધી મારે દીક્ષા ન લેવી. ખૂદ મહાવીર ભગવાને પણ આ સંકલ્પ કર્યો અને ત્રીસ વરસે દીક્ષા લીધી. ત્યારે આજના આચાર્યો તે તેમની પણ ભૂલે કાઢવા તૈયાર થયા છે અને માટે જ કાયદાની જરૂર છે. જૈન ધર્મ શ્રેષ્ઠ ગણાય છે અને તેથી જ જ્યારે તેના ઉપદેશક સાધુઓ તેને નાશ થાય એવાં કાર્યો કરે ત્યારે તેની સામે બનતું દરેક કરવું એ શ્રાવકોની ફરજ છે, પરંતુ નબળાઈના પરિણામે સરકાર પાસે આવવું પડયું છે, તો સરકારે આ કાયદો જરૂર
કરવું જોઈએ. સ, તમારો ભાગ મોટો છતાં કેમ ફાવતા નથી ? જ વધારે ભાગ–એટલે બીજા અમો જે કરીએ છીએ તે સારું માને છે, પણ ખૂલ્લો ભાગ લઈ શકતા નથી.
અત્રે ભાઈશ્રી ચીમનલાલ કડીઆએ અમૃત સરિતા રજુ કરી, તેના પાત્ર સંબંધી સાક્ષીને પૂછવાની વિનંતિ કરતાં મે. પ્રમુખ સાહેબે જણાવ્યું
કે એ પુસ્તક સમિતિ પાસે કર્તાએ રજુ કર્યું છે, પણ તે નવલકથા છે. સ૦ અમદાવાદના સંધ મોટો ગણાય છે કે ? જ. ગામેગામના સંઘે ગણાય છે, પરંતુ અમદાવાદમાં વસ્તી વધારે
એટલે તે મોટી સંધ ગણાય. જે ગામના સંધ હોય, તેને હુકમ તેજ
ગામ ઉપર ચાલે. બીજા ગામવાળા તેને ન માને. સઅમદાવાદના સંઘપતિ આખા હિંદુસ્તાનના સંઘપતિ ગણાય કે નહિં? જ નહિ. કાંઈપણ બંધન કર્તા થઈ શકે છે તે આલ ઇન્ડીઆ જૈન
કોન્ફરન્સ છે. પણ તેના ઠરાવો સંઘ ન માને તેનું શું કરવું ? એજ મુશ્કેલ છે અને તે છીજ અમને આવા કાયદાની જરૂર છે. તા. ૬-૭–૩૨ ના રોજ થયેલી બાકીની જુબાની.
શરૂઆતમાં સગીર દીસાના બનાવોનું માહિતિ પત્રક રજુ કરી વાંચી સંભળાવ્યું હતું. જે નીચે મુજબ છે.
For Private and Personal Use Only