________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આખી આકૃતિ સુઘટિત, માંસલ, જોમવાળી અને સ્વસ્થ લાગે છે.
૬ શામળાજીના ડુંગરમાંથી મળી આવેલી પાર્વતીની બહુધા ભીલડીની–એક અનન્ય મનહર મૂર્તિ. શુમારે ૬ઠ્ઠી સદીને પૂર્વભાગ. પુરાતત્વ સંગ્રહાલય હિંમતનગર.
માથાના વાળની લટો વિખરાએલી છે અને મસ્તક ઉપર એક નાની દામણીથી તે બાંધી લીધેલા છે. કુંડળ, કઠાભરણ, હસ્તવલય, કટિમેખલા, નપુર વગેરે તેણે ધારણ કરેલાં છે અને પંજાના નખ તથા મસ્તક સ્પષ્ટપણે તરી આવે એવું એક વ્યાઘચર્મ પરિધાન કરેલું છે. દક્ષિણ હસ્ત તરફથી નીકળી ગળાની આસપાસ વીંટળાઈ વળતો એક નાગ પણ છે.
પ્રસન્ન મુખભાવ ધારણ કરીને સુંદર છટા સાથે આકૃતિ ઊભેલી છે. આ બધી મૂર્તિઓને ત્રણ ચક્ષુઓ છે.
પ્લેટ ૩ ૭ ટીંટોઈમાંથી મળી આવેલાં પાર્વતી અને બાળ ગણેશ. ૬ઠ્ઠી સદીને શુમાર. પુરાતત્ત્વ સંગ્રહાલય હિંમતનગર.
ગૌરી અને ગણેશ એકસાથે ભાગ્યે જ જોવામાં આવે છે. બંને આકૃતિઓનું વિધાન સરસ છે. ટગુમગુ ડગ ભરતા બાળકના જેવી લાગતી ગણેશ મૂર્તિ નૃત્યસ્થિતિમાં છે.
૮ ટીંટોઈમાંથી મળી આવેલ શિવપાર્વતી. આશરે ૬ઠ્ઠી સદી ઈવી. પુરાતત્વ સંગ્રહાલય હિંમતનગર.
શિવ અને પાર્વતી બને ઊભેલાં છે અને પાર્વતીએ પિતાના હાથમાં બાળગણેશને તેડેલા છે. મયૂર બાળકમાં મગ્ન થઈ ગએલો જણાય છે. બન્નેએ ઉત્તરીય ધારણ કરેલાં છે અને શિવને સુંદર લાંબી મતીની માળા તથા પાર્વતીજીને કટિમેખલા છે.
પ૧
For Private and Personal Use Only