________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
:૧૮:
શિક્ષણમાં ઘાર્મિક શિક્ષણનું સ્થાન
શિક્ષણ એ સંસ્કૃતિનું ઘડતર કરનાર છે, “સંસ્કૃતિ” એ પ્રજાનું જીવન છે. “જીવન ' તે માત્ર શ્વાસોશ્વાસ લેવા એટલું જ નથી પણ સાચી સ્મૃતિ અને ક્ષણે ક્ષણે પ્રગતિ સાધવામાં તથા પોતાનાં કર્તવ્યને અદા કરવામાં છે. એથી જ શિક્ષણનું મહત્વ સભ્ય દેશ, જાતિ અને સમાજમાં વધુ ને વધુ છે. જે પ્રજા, દેશ, જાતિ કે
વ્યકિત પોતાની તરક્કી કરવા ચાહે છે તે શિક્ષણને આદર અને વિકાસ કરવામાં અનેકાનેક પ્રયાસ કરે છે. તેનાં ઉદાહરણે વર્તમાન કાળથી પણ આપણે જોઈએ તેટલા સાંપડી શકે છે, માટે જૂના કાળનાં દષ્ટાંત ને તેના પુરાવા આપવાની જરૂરત જણાતી નથી.
બીજા શિક્ષણની અંદર ધાર્મિક શિક્ષણ પણ એક મોટે ભાગ ભજવે છે. આપણા નૈતિક-આત્મિક જીવનને સુધાર આલોક અને પરલેકની દષ્ટિએ બહુ જરૂર છે. આપણે પરલેક, પુણ્ય, પાપને
૧ જૈન, ભાવનગર, વર્ષ ૩૩, અંક ૩૮
For Private and Personal Use Only