SearchBrowseAboutContactDonate
Page Preview
Page 556
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પરલ આજનું સ્ત્રી શિક્ષણ વિદ્યાપીઠને કાળ બહુ જુના કાળ પછી એટલે કે ભગવાન મહાવીર અને બુદ્ધિના પછી ઇતિહાસ વિદ્યાપીઠના ઈતિહાસથી ભરેલું છે. આ જમાનામાં સાધારણ નાના મોટા આશ્રમે ઉપરાન્ત વ્યવસ્થિત અને મેટા પાયા ઉપર યોજાએલા મહાન વિશ્વવિદ્યાલય હતાં. તેની એજના ઘડનાર બહુશ્રત અને વિચારક પુરુષો હતા. તેમાં એક એક વિદ્યાપીઠમાં દશ દશ હજાર સુધી છાત્રો અને પંદર સુધી અધ્યાપકે સરસ્વતી દેવીની પવિત્ર ઉપાસના કરતા. હિન્દના દૂર દૂર પ્રાંતિનાજ નહિ, પણ ચીન, જાપાન, જાવા, અફઘાનીસ્તાન અને કાબૂલ જેવા દેશેથી પણ અનેક વિદ્યાર્થીઓ ભારતના આ વિદ્યાપીઠમાં અધ્યયન કરવા આવતા, અને ભણીને ગયા પછી પોતાનું મેટું ગૌરવ માનતા. ચીની યાત્રી હુએનસંગ અને ઇસંગ જેવા પણ આપણે આ વિદ્યાપીઠમાં ભણવા રહ્યા હતા. આ વિદ્યાલયની યોજના, તેની પદ્ધતિ, તેને પાઠ્યક્રમ, તેના વિષયે અને ફળો, ઓક્સફર્ડ કે કેમ્બ્રીજ યુનિવર્સિટી કરતાં વધારે ઉન્નત અને સુંદર હતા એમ કહેવામાં હું અતિશક્તિ જરા પણ કરતું નથી. તેવા મહાન વિદ્યાપીઠમાં નાલંદા, તક્ષશિલા, વિક્રમશિલા, ઘનકટક, મથુરા. ઉજજૈન, કાશી, જગદ્ મહાવિહાર, ઉદંતપુરી અને નવદીપના વિદ્યાપીઠ ખાસ ઉલ્લેખનીય છે, જે જુદા જુદા પ્રાંતમાં હતાં. આ આશ્રમે અને વિદ્યાલયને ઘણે ખરે અને ભાર રાજાઓ અને બૌદ્ધ, જૈન અને વૈદિક ધનીક ગૃહસ્થ ઉપાડતા. શ્રીમાન ગૌરીશંકર ઓઝાએ એક વ્યાખ્યાનમાં કહ્યું છે કે “ નાલંદા વિશ્વવિદ્યાલયના અધિકારમાં બસોથી વધારે ગામે હતાં, જે અનેક રાજાઓએ દાનમાં આપ્યા હતાં ”ચીની યાત્રીઓના ઉલ્લેખેથી જણાય છે કે સાતમી સદીમાં પાંચ હજાર મઠો પણ ભારતમાં હતા. જેમાં ૨૧૨૧૩૦ વિદ્યાર્થીઓ અધ્યયન કરતા હતા. સત્તરમી સદી સુધી, For Private and Personal Use Only
SR No.020374
Book TitleHimanshuvijayjina Lekho
Original Sutra AuthorN/A
AuthorHimanshuvijay, Vidyavijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year
Total Pages597
LanguageGujarati, Hindi
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy