________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
: ૪૪ :
૧
ખામણી ડાક
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગત વર્ષમાં અમેએ મેવાડમાં વિદ્વાર (મુસાફરી) ખૂબ કર્યાં હતા. મેવાડ એક પુણ્યદેશ છે. હજારો વર્ષનાં પ્રાચીન માલિક પુસ્તકામાં તેના ગૌરવની ગાથાઓ-પવિત્રતાનાં સૂક્તો લખેલાં જડે છે. મેવાડે ઘણા ભારતીય રીતિરિવાજોને ઉપજાવ્યા છે, પામ્યા છે અને સુરક્ષિત રાખ્યા છે. સીમાયિા વગેરે વંશના ક્ષત્રિયાએ અને ભામાશાહ વગેરે જેવા નરવર સવાલ જૈનેએ મેવાડમાં યુદ્ધવીરતા અને દાનવીરતાનાં પરમાણુ ઠાંસી ઠાંસીને ભર્યા છે. અત્યારે જો કે મેવાડની સ્વતંત્ર સત્તા પરદેશી સત્તા હેઠળ દબાઇ ગઇ છે અને દિવસે દિવસે દખાતી જાય છે, છતાં હજી ય ‘માંગ્યું તૂટયું તે પણ ભચ'ની કહેવત મુજબ મેવાડમાં જૂના રિવાજો, વેશે, ઘરેણાં, વહેમ, શસ્ત્ર, શાસ્ત્રો, વસ્ત્ર, વસ્તુ, મદિરા, મકાને અને ધર્મભાવનાએ બીજા દેશો કરતાં વધુ પ્રમાણમાં અમારાં જોવામાં આવ્યાં છે.
૧ કૌમુદી, દીવાળી અંક ૧૯૬૩,
For Private and Personal Use Only