SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બા હ ડ મે રૂ. ૨૮૩ छाती उपर छेलडो, सर उपर वाट । कवाट उठ मुजरा करे, तो लाजे गढगिरनार ॥ [ કવાટને નમાવવા માટે તેની છાતી ઉપર મણીલું મૂક્યું અને માથા ઉપર થઈને લેકે જવા આવવા લાગ્યા. છતાં જે કવાટ ઉઠીને પ્રણામ કરે તે ગિરનારને ગઢ લાજી મરે ! ] सूरज पच्छीम उगसी, भायंगम न झेले भार । कवाट उठ मुजरो करे, तो लोजे गढगिरनार ॥ - કવાટ જે ઉડીને પ્રણામ કરે તો ગઢગિરનાર લાજી મરે, તે સૂર્ય પશ્ચિમમાં ઉગે અને તે શેષનાગ પિતાને ભાર ઉપાડ બંધ કરે (પૃથ્વી રસાતલ જાય. ) ] શત્રુનું બળ જોઈને છેવટે અંતરાવે નમતું આપ્યું અને કવાટે તેને બંધનમુક્ત કર્યો. પછીથી પણ અંતર કવાટને નમાવવા ઘણું ફાંફાં માર્યા પણ એ વીર અણનમ જ રહ્યો. આ કથાનક, અમે “જૂનામાં રહેતા જુદા જુદા લેકના મોઢેથી સાંભળ્યું હતું, તેવું અહીં ઉતાર્યું છે. આમને સત્યાંશ તે બારીક શોધખોળ પછી જ મળી શકે. છતાં આ પ્રદેશમાંના જૈન, બ્રાહ્મણ રાજપુત, જાટ, ભીલ વગેરે જાતિના નાના મોટાં લેકમાં આ કથા પ્રચલિત છે, એ વાત તે સ્વીકારવી જ જોઈએ. એટલે એમાં અમુક અંશે ઐતિહાસિકતા જરૂર છે. કાઠીઆવાડની વીરગાથા સમી આ કથાની શોધ થાય તે જરૂર ઘણું જાણવાનું મળી શકે ! અસ્તુ. જૂના બાડમેરથી લગભગ ૧૦ માઈલ અને સિંધ તરફ જતી જોધપુર રેલવેના ખડીન (Khadin) સ્ટેશનથી લગભગ ૩ માઈલની For Private and Personal Use Only
SR No.020374
Book TitleHimanshuvijayjina Lekho
Original Sutra AuthorN/A
AuthorHimanshuvijay, Vidyavijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year
Total Pages597
LanguageGujarati, Hindi
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy