________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉઘાત.
લેશ પણ ઘટી શકતો નથી. પ્રત્યેક માણસે જો અંદગી ભોગવવી ઘટે છે તે તેને જીંદગીનાં આધારભૂત તો, તેને સ્થિર કરનાર ત, અને તેને લંબાવનાર તો પણ વેધકના ગ્રંથોમાંથી અવશ્ય જાણવા ઘટે છે.
વૈદ્યકશાસ્ત્ર ઉપર અત્યારસુધીમાં અનેક ગ્રંથો સંસ્કૃત પ્રાકૃત ભાષામાં લખાયા છે, પણ સંસ્કૃત ભાષામાં રચાયેલા ગ્રંથો પૈકી ચરક, સુશ્રુત
અને વાગભટ આ ત્રણ મુખ્ય મનાય છે. એનેજ આયુર્વેદનાં ત્રણ પ્રસ્થાન કહે છે. આત્રેય સંહિતા તેના કરતાં પણ જૂની છે. એમ કેટલાંક પ્રમાણેથી માલમ પડે છે. ઘણા જૂના ગ્રંથોમાં આત્રેયસંહિતાનો ઉલ્લેખ કરેલું જોવામાં આવે છે. આત્રેય સંહિતામાં એ ગ્રંથના સર્વથી પ્રાચીન પણ વિષે કહે છે કે –
“ત્રિતયુ વૈવો દ્વારે શુશ્રુતમતઃ | कलौ वाग्भटनाम्नश्च गरिमात्र प्रदृश्यते" ॥
એ ઉપરથી સત્યયુગમાં આત્રેય સંહિતા પ્રમાણે ચિકિત્સા કરવામાં આવતી હતી તો બીજા બધા કરતાં એની પ્રાચીનતા સિદ્ધ થાય છે. એ આત્રેય સંહિતા તેજ હારીત સંહિતા એમ માનવાને પણ કાંઈ વાંધો નથી. કદાચ કોઈના મનમાં આ ગ્રંથવિષે ચરક સુશ્રુતના જેટલું માન ન હોય !! તેને માટે એટલું જ બોલવું બસ થશે કે જેવી રીતે મહામા આત્રેય (પુનર્વસુ) મુનિએ પોતાના શિષ્ય અગ્નિવે. મુનિએ કહેલા આયુર્વેદને ગ્રંથે ચરકસંહિતા એ નામથી ઓળખાય તેવી જ રીતે એ જ આત્રેય મુનિએ પિતાના શિષ્ય હારિત મુનિને કહેલા આયુર્વેદનો આ ગ્રંથ હારિતસંહિતા અથવા આત્રેયસંહિતા એ નામથી ઓળખાય છે. જુઓ ગ્રંથના આરંભમાં
"आत्रेयं बहुशिष्यैस्तुराजितं तपसान्वितम् । पप्रच्छशिष्योहारीतः सर्वज्ञान मिदं महत् ॥ ગ્રંથમાં પણ સર્વત્ર લખે છે કે “
સુ મારે તો એ પ્રમાણે આય અને હારીત બન્નેનાં નામ એમાં અંકીત થયાથી આ સંહિતાને કેઈ આત્રેય અને કોઈ હારીત એવા નામથી વ્યવહાર કરતા હશે. કેટલાક એમ માને છે કે આત્રેય સંહિતા તે લુપ્તજ થઈ ગઈ છે, કેમકે સંગ્રહ, ભાવપ્રકાશ, વગેરે ગ્રંથમાં આત્રેયમાંથી લીધેલા જે વચને દાખલ કરેલાં છે તે આમાં જોવામાં આવતાં નથી. આ તકરાર ધ્યાન આપવા જેવી છે ખરી; પણ જ્યારે ગ્રંથની પ્રાચીનતા, લેખની અશુદ્ધતા અને પાઠાંતરની પ્રચુરતાઉપર વિચાર કરિયે છિયે ત્યારે પણ અનુમાન થાય છે કે, આ જૂના ગ્રંથમાં એક વખત એક જણને જે
For Private and Personal Use Only