SearchBrowseAboutContactDonate
Page Preview
Page 738
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તૃતીયસ્થાન-અધ્યાય સડતાલીસમો. ૬૯૧ રાતા કાંટાસળિયાનાં ફૂલ તથા જસવંદનાં કૂલ લઈને તેવડે ઇંદ્ર લુપ્તવાળી જગો ઘસવી, તેથી લુપ્ત રોગ મટી જાય છે. ઇંદ્રલુપ્ત રોગમાં પિત્તનાં ચિન્હ જોઇને દૂધવડે સેચન કરવું તથા પિત્તસંબંધી ઇલુપ્ત રોગમાં ઠંડા પદાર્થ રોગીને ખાવા તથા ચોપડવા આપવા. ધતૂરાનાં પાંદડાં, પીપર, હળદર, ઇંદ્રવારણ, ઘરને ધુમાસ, ઉપલેટ, એ સર્વને પાણી રેડીને વાટવું. પછી તેમાં થી મેળવીને માથે ચોપડવાથી માથા ઉપર ચાંદાં થયાં હોય તે મટે છે તથા ઇંદ્રલુપ્ત રેગ પણ મટે છે. પિત્તથી થયેલા ઇંદ્રલુપ્ત રોગમાં દાહ થતો હોય તે પટેલનાં પાંદડાં લીંબડાનાં પાંદડાં, અને આમળાં, એ સર્વને વાટીને તેમાં ઘી તથા ખાંડ મેળવીને લેપ કરવાથી માથાની તમામ ચાંદીઓ દૂર થાય છે. વળી માથું દુખવા વગેરે સઘળાં દરદ પણ એથી મટી જાય છે. એ હાથીદાંતને બાળીને તેની રાખડી કરીને માખણ સાથે ચોપડવાથી ઇલુપ્ત રોગ તથા માથાનાં ચાંદા મટે છે. તલ, આંકડ, ભિલામાં, અડદ, એ સઘળાંને અથવા એમાંથી હરકેઈ એક બેને બાળીને તેને ક્ષાર કાઢીને તેમાં માખણું મેળવીને લેપ કરે. તથા એજ પ્રમાણે ઘી તથા ક્ષારને લેપ કરવો તેથી લુપ્ત રોગવાળાને પાછા કેશ ઉગે છે. इति आत्रेयभाषिते हारीतोत्तरे तृतीयस्थाने इन्द्रलुप्त चिकित्सा नाम षट्चत्वारिंशोऽध्यायः।। सप्तचत्वारिंशोऽध्यायः। કાનના રોગની ચિકિત્સા, કાનના રેગના હેતુ आत्रेय उवाच। शल्येन वा तोयभृतेन वापि मलेन वा चाति भवेद्गुजा च । उच्छासरोधाद्भवते तथापि वातादिकैर्वा कुपितैरथापि ॥ For Private and Personal Use Only
SR No.020371
Book TitleHarit Samhita
Original Sutra AuthorN/A
AuthorAatrey Muni
PublisherJayram Raghunath
Publication Year1892
Total Pages890
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy