SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હારીતસંહિતા છિન્નભિન્ન થઇને હું થયેલું પાણી આકાશગંગાના ઠંડા વાયુવડે કઠણ થાય છે અને પછી હિમવડે પથરાની પેઠે બાઝી જાય છે. પછી સૂર્યના તાપથી તે પાણી કાંઈક ઓગળવા માંડે છે અને તેથી મેધવૃષ્ટિધારા પાણીના ઠંડા કકડા પૃથ્વી ઉપર પડે છે તેને કરા કહે છે. કરાના પાણીના ગુણ, कारं शीतगुणैः श्रमोपशमनं शोषार्तिनिर्नाशनं मृ मोहशिरोर्तिनाशनकर हिक्कावारणम् । शोफानां व्रणिनां तु दोषशमनं पित्तात्मिकानां हितं शंसंति प्रवरं गुणैः प्रतिदिनं तस्मान दूरे कृतम् ॥ રતિ ઝરણુળr: કરાનું પાણી તેના શીતળ ગુણોએ કરીને મનુષ્યના થાકને દૂર કરે છે, શોષ રોગની પીડાનો નાશ કરે છે, મૂછ, મોહ અને માથાની પીડાને મટાડે છે. હિકા અને ઉલટીને અટકાવે છેસોજાવાળા અને ત્રણવાળાઓના દેખને શમાવે છે, પિત્ત પ્રકૃતિવાળાઓને તે હિતકર છે, એવી રીતે કરાના પાણીના ઉત્તમ ગુણો માટે વૈધે તેનાં પ્રતિદિન વખાણ કરે છે માટે ડાહ્યા પુરૂષોએ તેને તજેવું નથી. ઝાકળના પાણીના ગુણ, तौषारं लघु शीतलं श्रमहरं पित्तातिशान्तिप्रदं दोषाणां शमनं जलातिहननं सर्वामयनं परम् । कुष्ठश्लीपदचिकाविशमनं पामाविसर्पापहं क्षीणानां क्षतशोषिणां हितकरं संसेव्यते मानवैः॥ રૂતિ સુધારવાનય||: ઝાકળનું પાણી હલકું, શીતળ, શ્રમને હરનારું, પિત્તની પીડામાં શાંતિ આપનારું, વાતાદિ દેવને શમાવનારું, પાણીની પીડાને (તરસને) મટાડનારું, અને સર્વ રોગને નાશ કરનારું એવું ઉત્તમ છે; વળી તે કોઢ, વાળાને રોગ અને પગ ફાટે છે તે રોગને શમાવે છે, ખસ તથા રતવાને મટાડે છે અને ક્ષીણ થયેલા, ઉરઃક્ષતવાળા અને શેષ રેગવાળાને હિત કરે છે, માટે એવા પાણીનું મનુષ્ય સેવન કરે છે. For Private and Personal Use Only
SR No.020371
Book TitleHarit Samhita
Original Sutra AuthorN/A
AuthorAatrey Muni
PublisherJayram Raghunath
Publication Year1892
Total Pages890
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy