________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી ગુરુગુણમાળા.
મુદ્રાએ સ્થિત રહેવા રૂપ કાઉસ્સગ પડિમા, ૬ શુદ્ધ બ્રહ્મચર્ય પાલનરૂપ, ૭ સચિત્ત આહાર ત્યાગ રૂપ, ૮ સાવદ્ય (સદષ) આરંભ ત્યાગ રૂપ, ૯ અન્યકૃત પણ આરંભત્યાગ રૂપ, ૧૦ ઉદ્દિષ્ટ (સ્વનિમિત્ત કૃત પ્રાસુક પણ આહાર) ત્યાગ રૂપ અને ૧૧ પૂવત ગુણ યુક્ત નિઃસંગપણે સાધુ લિંગ, પાત્રા ધારી સુસા ધુની પેરે લેચ કરી વિચારવા રૂપ શ્રમણભુત પડિમા એ રીતે ૧૧ પડિમાકહી તેમાં પહેલી એક માસની, બીજી બે માસની યાવત્ ૧૧ મી ૧૧ માસની પૂર્વલી પરિમામાં પાલન કરવા યોગ્ય સર્વ કરણય યુક્ત જાણવી. શ્રાવક ચેાગ્ય બાર વ્રત-પાંચ અણુ વ્રત, ત્રણ ગુણ વ્રત અને ચાર શિક્ષાવ્રત (આને સવિસ્તર ખુલાસે શ્રાવક કલ્પતરૂ પ્રમુખ થકી જાણ લેવા ગ્ય છે.) તથા તેર કિયા સ્થાને-૧ અર્થદંડ રૂપ અર્થ ક્રિયા ૨ અનર્થ દંડ રૂપ અનર્થ કિયા, ૩ પ્રાણુ વધ રૂપ હિંસા કિયા, ૪ સહસાકાર રૂપ આકે સ્મિકી ક્રિયા, ૫ દ્રષ્ટિ ભ્રમ થકી દ્રષ્ટિકી ક્રિયા ૬ મિથ્યા ભાષણ રૂપ મૃષા કિયા, ૭ ચોરી રૂપ અદા કિયા ૮ ચિત્ત ઉ. પાધિ (સંક૯૫ વિકલ્પ) રૂપ અધ્યાત્મ કિયા ૯ અહંકૃતિ રૂપ માન ક્રિયા, ૧૦ છેષ રૂપ અમિત્ર ક્રિયા, ૧૧ મનની કુટિલતા રૂપ માયા ક્રિયા ૧૨ ગૃદ્ધિ આસકિત રૂપ લોભ ક્રિયા અને ૧૩ કેવળી ભગવાનને એક સમયના (શતા) બંધ રૂપ ઈર્યાપથિકી ક્રિયા એ ૧૩ ક્રિયા સ્થાન કહ્યાં. તે સર્વ સારી રીતે સમજાવતા એવા ૩૬ ગુણ યુકત ગુરૂ શ્રી જયવંતા વત. (૧૫)
હવે ગ્રંથકાર પન્નરમી ગુરુગુણ છત્રીશી વર્ણવે છે. बारसउँवेोगविऊ, दसविहपच्छित्तदाणनिउणमई । चउदसउवंगरणधरो, छत्तीसगुणो गुरू जयउ ॥ १६ ॥
બાર ઉપગના જાણું, દશ વિધ પ્રાયશ્ચિત્ત દેવામાં કુશળ અને ચૌદ ઉપકરણે ધારનારા એવા ૩૬ ગુણ વિભૂષિત ગુરૂમહારાજા સદા જયવંતા વર્તે. (૧૬)
For Private and Personal Use Only